SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૮ પકારો) કરશે, પછી એ કેવળી સમુદઘાત કરી, સર્વ વેગોને નિષેધ કરી છેવટે આયુષ્યના તદ્દન છેવટના ભાગમાં શૈલેશી નામની સુંદર ક્રિયા કરીને તે બાકીના દુશ્મનો પણ ચૂર કરી નાખશે. તે વખતે એનાં સર્વ કામ પૂરું થશે, એની સર્વ ક્રિયાઓને છેડે આવશે, એના સુંદર કાર્યોનું સુંદર પરિણામ આવશે અને એ પોતાના સર્વ બાંધે સહિત નિવૃતિ નામની સુંદર નગરીમાં જઇને એના સુરાજ્યનાં સુંદર ફળે તે ચાખશે. ત્યાર પછી એ અનંત આનંદમાં મગ્ન થશે, અનંત જ્ઞાનથી પૂર્ણ થશે, અનંત વીર્યથી ભરપૂર થશે, અનંત દર્શનથી યુક્ત થશે, એની સઘળી બાધા પીડાઓનો નાશ થશે અને એના એ સર્વ ભાવો સર્વ કાળને માટે હમેશના થશે. આ એના એક અંતરંગ કુટુંબની વાત થઈ. “હવે એના બીજા અંતર કુટુંબની વાત કરીએ. રાજર્ષિની કુ. ૧ સમુદુધાતઃ આયુષ્યકાળ સાથે કર્મોની વિષમતા ઘણા ખરા કેવળીઓને હોય છે, બધાનો મેળ મળે નહિ તેથી કેવળી વધારાનાં કર્મોને જેસથી ક્ષય કરી બાકીનાને સરખાઇમાં આણે છે. એ સારૂં મરણ પહેલાં છ માસ અગાઉ તેઓ આ સમુદૃઘાત કરે છે. એનો વખત આઠ સમય છે. પ્રથમ સમયે આત્મપ્રદેશને સીધી એક પ્રદેશની સ્થિતિએ ઉપર નીચે ગોઠવે છે એને “દંડ કર્યો કહે છે, બીજે સમયે એને ચૌદ રાજમાં કપાટરૂપે ગોઠવે છે, ત્રીજે સમયે મંથાન કરી બધી દિશા પૂરે છે, ચોથે સમયે વચ્ચેના આંતરા પૂરે છે અને તે જ વખતે એ કમોને વેદી નાખે છે, આયુથી વધારે બાકીનાં કર્મોનાં દળ હોય તેને આત્માથી છૂટા કરી દે છે. પાંચમા છઠ્ઠા અને સાતમા સમયમાં સર્વ વિખરે છે એટલે અનુક્રમે મંથાન, કપાટ અને દંડ કરે છે અને આઠમા સમયે શરીરમાં સમાઈ જાય છે. ચોથે સમયે જ્યારે સર્વ આંતરા પૂરે છે ત્યારે તેમનો આત્મા ચૌદ રાજલોકના પ્રત્યેક પ્રદેશ પર આવી જાય છે. પ્રત્યેક આકાશપ્રદેશે આત્મપ્રદેશ મૂકાય છે. આ સમુદ્ધાતની હકીકત ખાસ સમજવા માટે જુઓ સમુદ્ધાત સ્થાન–ઠાણુગ સૂત્ર ૨ યોગનિરોધઃ શફલધ્યાનના ત્રીજા પાયામાં યોગનો નિરોધ થાય છે. તેરમા ગણસ્થાનકને અંતે આ હકીકત બને છે. એ પાયાનું નામ સૂર્યમક્રિયાઅનિવૃત્તિ. એ વિભાગમાં મુખ્યતા માત્ર કાગની જ છે. જુઓ જે. દ. વેબ પૃ. ૧૮૦ - ૩ શૈલેશીઃ આ ચૌદમે ગુણસ્થાનકે થાય છે. એ શુકલધ્યાનને ચોથો પાયો છે. એનું નામ સમુચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ કહેવાય છે. એને કાળ પાંચ હસ્વાક્ષર બોલવા જેટલો છે. ૪ બાકીના દમને એટલો ચાર અઘાતિ કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને શેત્રવેદનીય સુખદુઃખ આપે છે, આયુષ્ય જીવનકાળ નિર્માણ કરે છે, નામ વિવિધતા કરે છે અને ગેત્ર ઉચ્ચનીપણું આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy