SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮] સાતની દીક્ષા-અનુસુંદરની પ્રગતિ. ૨૦૩૧ વિદ્યા અને નિરીહતા જે તે વખત સુધી જરા ક ગતિ ના લીન થઈને દબાઈને રહેલી હશે તે બહાર પડશે, વિશાળ માર્ગે. તેની સાથે ચારિત્રરાજનું આખું સૈન્ય પણ બહાર પડશે. વળી તે વખતે તેના અંતરંગ રાજ્યમાં ધૃતિ, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા. મૈત્રી, પ્રમુદિતા, સુંદર લોક ઉપેક્ષા, વિજ્ઞપ્તિ, કરૂણા વિગેરે સ્ત્રીઓ પણ અગા ઉની માફક તેને બહુ વધારે સુખ આપનાર થઈ પડશે. આવી રીતે એ મહાત્માને અત્યંત આનંદથી ભરપૂર અંતરંગ રાજ્ય પ્રાપ્ત થશે, બહુ સુંદર રાજ્યને એ ભગવનાર થશે અને એ રાજ્યને ભગવટ કરતાં એ પોતાના અંતર શત્રુઓને મૂળમાંથી ઉખેડી નાખશે. એ મહા બળવાન્ પુરૂષ ત્યાર પછી અમૃતસાર મુનિ તરીકે અંતરંગ રાજ્યમાં વિજય મેળવતાં મેળવતાં આખરે ક્ષપકશ્રેણીએ ચઢશે અને એ વિશુદ્ધ શ્રેણપર રહી ચાર ઘાતી કર્મ” નામના દુશમનેને સર્વથા નાશ કરશે, તેમના ચૂરેચૂરા કરી નાખશે. ત્યાર પછી "કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તે જગત્ ઉપર અનેક પ્રકારના અનુગ્રહો (ઉ ૧ આ દશે કન્યાપર વિસ્તારથી વિવેચન પ્ર. ૮. પ્ર. ૯ માં થયું છે. ૨ આ બીજી દશ સ્ત્રીઓ છે તેનાં નામો વિગેરેનો નિર્દેશ અને તેને જરૂરી અર્થ ચાલુ પ્રસ્તાવના પ્રકરણ ૯ માં આવી ગયા છે તે માટે જુઓ પૃ. ૧લ્પ૧. ૩ ૫કણિઃ સાતમા ગુણસ્થાનકેથી સીધા રસ્તે વધતાં કર્મને ક્ષય કરતો-નાશ કરતો જીવ આગળ વધે છે. પછી તે એનાં કર્મને નાશ જ થાય છે. એટલે એને ઉપશમ શ્રેણિની પેઠે પાત થતો નથી. ૪ ચાર ઘાતી કર્મના મોટા ભેદ આઠ છે, તેમાં ચાર કર્મ ઘાતી કહેવાય છેતે કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાતચારિત્ર તથા અનંતા વીર્યને રોકનાર હોવાથી તેને ઘાતી કર્મો કહેવામાં આવે છે. ૧. જ્ઞાનને આવરણ કરનાર તે જ્ઞાનાવરણીય ૨. દર્શનને અટકાવનાર દર્શનાવરણીય; ૩. સંસારમાં રખડાવનાર મેહનીય અને ૪. વીર્યશક્તિમાં અડચણ નાખનાર અંતરાય. આ ચાર કમને ઘાતી કમ કહેવામાં આવે છે. એ ચારે જ્યારે ઉદય અને સત્તામાંથી સર્વથા જાય ત્યારે પ્રાણીને કેવળજ્ઞાન થાય છે. ચારે ઘાતી કર્મોનું વિસ્તારથી સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથમાં આપવામાં આવ્યું છે. ૫ કેવળજ્ઞાનઃ ચાર ઘાતી કર્મોનો નાશ થતાં પ્રાણીને કેવળજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન થાય છે. તેનાથી એ ભૂત ભાવી પદાર્થો જાણે છે. દ્રવ્યગુણપર્યાય સમજે છે અને સર્વ ભાવ પ્રત્યક્ષ કરે છે. એવી દુનિયામાં કોઈ પણ ક્ષેય વસ્તુ રહેતી નથી જે કેવળજ્ઞાનનો વિષય ન થઇ શકે. સર્વ જ્ઞેયનું સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. - ૬ અનુચહદ કેવળજ્ઞાની દેશના દઈ જગતનો ઉદ્ધાર કરે છે, અનેક પ્રાણીએને સાચે માર્ગ બતાવી રસ્તે લઈ આવે છે, ખેટ માર્ગથી મૂકાવે છે અને વિશદ્ધ બનાવે છે. આ કાર્ય તેમને જગતપરને અનુગ્રહ બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy