SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ વાતાવરણ થશે. ઉછર્યા પછી યૌવન પ્રાપ્ત થશે ત્યારે તે અનેક કળાએમાં કુશળતા મેળવશે. ત્યાર પછી એમને વિપુળાશય નામના આ ચાર્યને વેગ થશે. તેની પાસેથી બોધ થયા પછી એ યુક્તિપૂર્વક માતાપિતાને સમજાવીને દીક્ષા લેશે, એનો આત્મા ઘણો વિશુદ્ધ થતું જશે. અને એ સાધુ તરીકે રહી બહુ વખત સુધી મહા તપ તપશે. આખરે એ પોતાનાં કર્મ જાળને કાપી નાખીને સમાધિપૂર્વક આગળ વધશે, સંસારને પ્રપંચ છોડી દઈ આખરે શિવાલયે (મેક્ષે) જશે. આ પ્રમાણે હકીકત હોવાથી ભવ્યપ્રાણુઓને એ અનુસુંદર રાજર્ષિ અત્યંત પ્રમાદનું કારણ છે, એ મહાપુરૂષના પ્રસંગને લઈને કેાઈ પ્રકારનો શેક થ ન જોઈએ, કરે ન જોઈએ, સંતાપ થવો ન જેઈએ, બનો ન જોઈએ. એ મહાપુરૂષની વિભૂતિ ઓર છે, એની પ્રગતિ જ્યારે થઈ ત્યારે એકદમ વધારે થઈ આવી છે અને એને વિકાસ આદર્શયુક્ત છે.” ભાવીભદ્ર મહાત્માની ચિત્તવૃત્તિ. ભવિતવ્યતાને ન સમજવા માટે બેદ. અનુસુંદરની ભાવી અંતર ચેષ્ટા, આચાર્ય મહારાજે અનુસુંદર રાજર્ષિનું ભવિષ્ય વિસ્તારથી કહી બતાવ્યું, તેને આખરે મેક્ષ જણાવ્યું અને સુલલિતાને શાંત કરી તે વખતે પુંડરિક મુનિએ આચાર્યને પ્રણામ કરી સવાલ પૂછઃ “એ મહાત્મા રાજર્ષિને ભવિષ્યમાં બનવાન બનાવે આપશ્રીએ વિગતવાર કહી સંભળાવ્યું તે મેં સાંભળ્યો. હું હવે આપશ્રીને એક બીજી જ બાબત પૂછવા ઈચ્છું છું અને તે એ છે કે તેની ચિત્તવૃત્તિમાં સુંદર લેક હતા અને ખરાબ લેકે હતા જેનું વર્ણન ઘણુવાર અગાઉ તેના વૃત્તાંતમાં સાંભળવામાં આવ્યું હતું તેઓને આગળ વૃત્તાંત કે બનશે તે પણ આપ કહી બતા–સુંદર અને ખરાબ લેકે તેની ચિત્તવૃત્તિમાં હતા, તેઓનું શું થશે તે જણાવવા કૃપા કરે.” સમંતભદ્રસૂરિ જવાબ આપતાં બોલ્યા-“પુંડરિક! તમારો સવાલ ઘણે માને છે. જુઓ, સાંભળેઃ સર્વાર્થસિદ્ધ વિમાનેથી મનુષ્ય તરીકે ઉપર જણાવ્યું તેમ જ્યારે એ અમૃતસાર થશે ત્યારે થોડા વખતમાં એ સર્વસંગને ત્યાગ કરશે અને ભાવદીક્ષા ગ્રહણ કરશે, તે વખતે તેની સ્ત્રીઓ-ક્ષાંતિ અને દયા, તથા મૃદુતા અને અસત્યતા, તેમ જ ઋજુતા અને અચૌર્યતા, તથા બ્રહ્મરતિ અને મુક્તતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy