SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ ] સાતની દીક્ષા-અનુસુંદરની પ્રગતિ. ૨૦૨૯ તે જ્યારે મરણ સામું આવીને ઊભું રહે છે ત્યારે તેનાથી ગભKરાઈ જાય છે, બહી જાય છે, ડરી જાય છે. જે પ્રાણી વિશુદ્ધ “ધર્મનું ભાતુ બાંધીને રહેલો છે અને તેની રાહ જુએ છે તેને મરણ નજીક આવે ત્યારે જરા પણ બીક લાગતી નથી પણ “ઉલટ તેને મન તો એ જાણે મોટે ઉત્સવ બની રહે છે, તેને મન “તે એ જાણે મેટે આનંદને પ્રસંગ થઈ આવે છે. જ્ઞાન દર્શન “ચારિત્ર તપ રૂ૫ ચાર ખાંભાઓના ટેકાથી મજબૂત બનેલી અને પાપોને નાશ કરનારી આરાધના જે પ્રાણુએ કરી હોય તેને મરવાથી શું? તેના સંબંધમાં મરણ એ શું ચીજ છે? તેને “મરણ જ શું છે? જે મહાત્મા મુનીશ્વરે પાપસમૂહને જોઈ નાખીને આરાધના કરીને પંડિતમૃત્યુએ મરે છે તેઓ તે ખરેખર આનંદ “ ઉત્પન્ન કરનારા છે, આનંદ દેનારા છે, આનંદ વધારનારા છે, આનંદ સ્વરૂપ છે. હે બાળા! અનુસુંદર રાજર્ષિ તો અનાર્ય કાર્યથી નિ“વૃત થઈ કામ સાધી ગયા છે, સિદ્દકાર્ય થઈ ગયા છે, કૃતકૃત્ય થઈ ગયા છે, તેના મરણ માટે તે વળી શેક કેવો? તે કેમ ઘટે? છે અને તે વાજબી પણ કેમ ગણાય? “વળી તું જરા સાંભળી લે. એ અનુસુંદર રાજર્ષિ અત્યારે કામ કરીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયેલ છે. ત્યાં જ્યારે પછી મનુષ્ય એની તેત્રીશ સાગરેપમની આયુષ્યની સ્થિતિ પૂરી થઇ મેલે. થશે, ત્યારે ત્યાંથી ચ્યવને પુષ્કરવાર દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરી છે ત્યાં જશે. ત્યાં તે વખતે એક ગાંધારરાજ નામના રાજા હશે. તેને પદ્મિની નામની રાણી હશે. એ ગાંધારરાજ અને પદ્મિનીના પુત્ર તરીકે એ રાજર્ષિ જન્મશે. એનું ત્યાં અમૃતસાર નામ પાડવામાં આવશે. એને મહાવિભૂતિ પ્રાપ્ત થશે. દેવ જેવી તેની સમૃદ્ધિ થશે અને મનુષ્યપણુમાં દેવનાં સુખોનું ૧ સર્વવિરતિનું મરણ પંડિતમરણ કહેવાય છે. દેશવિરતિનું મરણ બાળપંડિતમરણ કહેવાય છે. અવિરતિનું મરણું બાળમરણ કહેવાય છે. શાસ્ત્રમાં બતાવેલી આરાધના કરતાં, સર્વ જીવોને ખમાવતાં, સર્વ વૈર વિરોધને માટે ક્ષમા માગતાં, શુદ્ધ ભાવના ભાવતાં, સંસારનું અસારપણું વિચારતાં, પોતાનાં શભ કાર્યો યાદ કરતાં, નમસ્કાર મહામંત્રનો જપ કરતાં મરણ થાય તેને ન પરિભાષામાં પંડિતમરણ કહે છે. આરાધના વિધિ માટે આઉરપચ્ચખાણભત્તપચ્ચખાણું પન્ના જુએ. ૨ ચવીને દેવ કાળ કરી અન્ય ગતિમાં જાય તેને “વવું કહેવામાં આવે છે. ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy