SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિબાધ. ૨૦૨૧ અનુસુંદર મહાશયનાં આ વચન સાંભળ્યાં એટલે પવનવડે જેમ અગ્નિ સંકારાય તેમ સુલલિતામાં તીવ્ર સંવેગ રૂપ અગ્નિ વધારે જાગ્રત થયા અને ભગવાન સમંતભદ્ર પાતે જ સદાગમ છે એમ જાણતી હેાવાથી તે સૂરિમહાત્માને ચરણે પડી અને અત્યંત લાગણીપૂર્વક ખાલી કે “અહા જંગના નાથ ! મહાત્મા ! સદાગમ ! અજ્ઞાન કાદવમાં ડૂબી ગયેલી મને બહાર કાઢવાને આપ જ સમર્થ છે! હું મંદભાગ્યવાળી હું તેને આપ ખરેખરૂં શરણુ આપનારા છે! અહા મહાભાગ્યવાન્ મહાશય ! આપ મારા સ્વામી છે! આપ મારા પિતા છે ! આપ મારા સર્વસ્વ છે! હે નાથ ! આ સેવકને હવે શુદ્ધ કરો, મેલ વગરની કરો.” સમંતભદ્રસૂરિ તે જ સદાગમ. સદાગમનું બહુમાન કરવાના મહા પ્રભાવ હેાવાથી, તેનામાં ( સુલલિતામાં) સંવેગના રંગ ઘણા ભારે થયેલા હેાવાથી, પશ્ચાત્તાપ તપથી તેણીનું હૃદય ઘણું સરલ હેાવાથી, ભગવાનની નજીક આખરે કલ્યાણ. રહેવાનું કાર્ય મહા કલ્યાણ કરનાર હાવાથી અને એ ભેાળી સ્ત્રીના મેાક્ષકાળ નજીક આવેલા હેાવાથી એનું કર્મનું મોટું જાળું તે વખતે પશ્ચાત્તાપના પ્રવાહવડે તૂટી ગયું અને એ સમતભદ્રસૂરિને પગે પડેલી હતી અને આંખમાંથી આંસું ચાલ્યાં જતાં હતાં તે જ વખતે પગમાં પડ્યા પડ્યા એને જાતિસ્મરણ જ્ઞાન થયું. મદનમંજરી વિગેરે ભવામાં જે બનાવા બન્યા હતા અને જેના સંબંધમાં અનુસુંદર મહાશયે હમણા જ વર્ણન કર્યું હતું તે સર્વ તેને નજરે દેખાયા, પ્રત્યક્ષ થઇ ગયા અને તેનું જ્ઞાન થતાં જ તેના મનમાં વધારે પ્રમાદ જાગ્રત થઇ આવ્યેા અને તે તુરત જ ત્યાંથી ઉઠીને અનુસુંદરના પગમાં પડી. અનુસુંદર-—“ સુલલિતા ! આ શું ? ” સુલલિતા આર્ય ! ભગવાનની કૃપાથી જે વાત તમને અની આવી હતી તે અત્યારે મને પણ મની આવી છે. વાત એમ છે કે મને પણ જાતિસ્મરણ જ્ઞાન થઇ આવ્યું છે અને તેથી તમે અત્યારે જે જે વાતા કહી તે સર્વનેા અત્યારે મને નિર્ણય થયો છે, તે સર્વ વાતેાની મને ખાતરી થઇ છે અને તેને પરિણામે સંસારમંદિખાનામાંથી મારૂં ચિત્ત ઊઠી ગયું છે, પાછું હઠી ગયું છે. અહેા! આ કમનસીમ આળા ઉપર આપમહાશયે અને ભગવાન સદાગમે ( સમંતભદ્રે) આજે ખરેખરા ઉપકાર કર્યો છે.” અનુસુંદર—“ માળા ! આ મહાત્મા સદાગમ પાતાના ભક્તના ઉપર જરૂર ઉપકાર કરે છે એ બાબતમાં જરા પણુ સંદેહ નથી. તું ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy