SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૨૦૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ શકીશઃ જ્યારે તું મદનમંજરી હતી ત્યારે તને પુરૂષપર દ્વેષ હતા તું પુરૂષદ્રેષિણી હતી. તે પ્રમાણે આ વખતે પણ તને પુરૂષાપર દ્વેષ થયેલા છે. સખીઓએ જોયું કે તું બ્રહ્મચર્ય ઉપર વધારે પ્રેમવાળી છે તેથી આનંદ મેળવવા સારૂ તને તે બ્રાહ્મણી કહે છે. કેમ હવે આ સર્વ મામતના તારા મનમાં કાંઇ મેળ મળેછે ?” સુલલિતા—“ આર્ય ! તમારાં વચનમાં તે એવું શું હોય કે જેના મેળ ન મળે? વળી આપ સૂર્યના પ્રકાશ જેવી સ્પષ્ટ વાત કરો છે. છતાં હું તે મંદભાગ્યવાળી હાવાથી ઘુવડની જેમ આમ તદ્ન અક્ષુચક્ર જેવી જ ઊભી છું—આપની વાત ઘણી ઉઘાડી છે છતાં મને દુર્ભાગીને તે જરા પણ અસર કરતી નથી.” આ પ્રમાણે બોલીને સુલલિતા પેાતાની આંખમાંથી સ્થૂળ મોતીએના સમૂહની માફક આંસુનાં બિંદુએ વરસાવવા લાગી. સુલલિતા ઘણું રડી, તેણે બહુ પ્રશ્ચાત્તાપ કર્યો અને તેને ઘણી લાગણી થઇ આવતી હાય તેમ દેખાઇ આવ્યું. સાગમને ચરણે. ભક્તિથી જાતિસ્મરણ, ગુરૂસહકારી-અન્ય હેતુઓ. મુશ્કેલી કે ઢીલના ખુલાસેા. સુલલિતાના મનની આવી દશા જોઇને અનુસુંદર બેસ્યા-રાજપુત્રિ! હવે તું દીલગીરી છોડી દે; તેં અગાઉ લઘુ આશાતના કરીને જે કર્મ બાંધ્યું હતું તે હવે લગભગ ક્ષીણુ થઇ ગયું છે. હવે ભગવાન્ સદ્યાગમની અને તેટલી ભક્તિ કર, એને શરણે જા. પ્રાણીઓને તત્ત્વજ્ઞાન થાય છે તેનું મૂળ એની આરાધનામાં છે, જેમ જેમ એ ભગવાનની આરાધના વધારે વધારે થાય છે તેમ તેમ તત્ત્વજ્ઞાનમાં વધારો થતા જાય છે. અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવામાં એ ભગવાન સાચા સૂર્ય જેવા છે. તું એ ભગવાનના પાદ સન્મુખ આવી શકી છે. તેથી તું ખરખર ભાગ્યશાળી છે! ” ૧ જુએ પ્ર. ૮. પ્ર. ૨. ૨ જીએ પ્ર. ૮ પ્ર. ૧૩. ૩ અગ્રહીતસંકેતાને પ્રસ્તાવ ખીન્ન પૃ. ૨૭ માં બ્રાહ્મણી કહી છે તે વાતના અત્ર ખુલાસા થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy