SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૮ વિચાર કરીશ તે તને જણાશે કે ભાવચોરી કરવાથી સપડાઈ ગયેલે હું નરક તરફ જતો હતો અને તે માર્ગે આગળ ચાલતો હતો તેને સાક્ષાત એ ભગવાને છેડા એ તે હજુ હમણું જ બનેલી બાબત તારા જોવામાં આવી છે ! વાત એવી છે કે પાપી પ્રાણીઓ પણ જે સદાગમને પ્રાપ્ત કરી તેની બરાબર ભક્તિ કરે છે તો જરૂર પાપથી છેડાય છે, છૂટા થાય છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી. વળી એક બીજી વાત તને કહું તને પોતાને ઘણું મુશ્કેલીએ બેધ થયે તે હકીકતથી તારે જરા પણ દુર્યાન કરવું નહિ, મનમાં મુંઝાવું નહિ, ખેદ કરવો નહિ, તારે એમ ન ધારવું કે તું મંદભાગ્યવાળી છો અથવા દુર્ભાગી છો–તારે એ બાબતને અંગે અંદરની ચિંતા ન કરવી. તું વિચાર કર. અગાઉ જ્યારે મારામાં ઘણું પાપ ભરેલાં હતાં અને હું ઉલટે માર્ગે ચાલતો હતો ત્યારે અકલંક વિગેરેએ મને સીધે રસ્તે લઈ આવવાને ઘણે પ્રયત્ન કર્યો હતો પણ તેની મારા ઉપર જરા પણ અસર થઈ ન હતી. જ્યારે મારાં પાપકર્મો ઓછાં અને આછાં થઈ ગયાં અને હું સ્વયેગ્યતા પામે, ત્યારે હું જૈનશાસનમાં બે પાયે, તેના તરફ આદરવાળે છે અને ઠેકાણે આવ્યું, તેમ થવામાં તારા કરતાં પણ મને વધારે મુશ્કેલી થઈ હતી તે તે મારી વાત ઉપરથી ધ્યાનમાં લીધું હશે. બધી વાતનો સાર એ છે કે કાળ વિગેરે હતો પ્રાપ્ત કરીને જ્યારે પ્રાણીનાં પાપો નાશ પામે છે ત્યારે જ તેને બોધ થાય છે, તે માર્ગ પર આવતો જાય છે અને ગુરૂ તો તેમાં માત્ર સહકારી કારણ બને છે, નિમિત્ત માત્ર બને છે. સુલલિતા–“આર્ય! આપ કહે છે તે સર્વે સાચે સાચી વાત છે. મારા મનમાં જે ખોટી ભાવના થઈ આવી હતી અને મને જે શંકા પડી હતી તે સર્વને હવે નાશ થાય છે. હવે એક જ બાબત બાકી રહે છે અને તે એ છે કે મેં અગાઉ એવો નિર્ણય કર્યો હતો કે માતાપિતાની રજા વગર હું દીક્ષા લેવાનું નામ પણ નહિ લઉં. હવે મારે એ બાબતનું શું કરવું?” અનુસુંદર–“સુંદરી! તું ગભરા નહિ. જે, તારા માતપિતા પણ અહીં આવી પહોંચ્યા છે!” ૧ અહીં જે વાત કરી છે તેને માટે નંદિસત્ર વિગેરે ગ્રંથોમાં બહુ મોટે ઉલેખ છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં જેટલાં કમનો નાશ કરે છે તેટલે પૂર્વ કોટિ વર્ષોના કષ્ટથી અજ્ઞાની કરી શકતા નથી. અને તેનું કારણ સમજાય તેવું છે. બાહ્યાચાર અને અંતર સમજણ એમાં બહુ તફાવત છે. કર્મની ચીકાશ જેમ અંતરંગ રાજ્ય પર આધાર રાખે છે તેમ જ તેને બાળવાના ઉપાયમાં અત્યંતર તપ ઘણું કામ કરે છે. આથી સદાગમ-શુદ્ધ જ્ઞાનની ભક્તિ પાપથી છોડાવે તેમાં નવાઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy