SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭] સુલલિતાને પ્રતિબંધ. ૨૦૧૭ બોલ્યા “દેવી! તમે રૂદન કરે નહિ. તમે યાદ કરે. તમને સ્વમ આવ્યું હતું કે એક પુરૂષ મુખદ્વારા શરીરમાં પેઠે અને પછી બહાર નીકળી ગયે, એ સ્વમમાં જણા હતા તે જ આ પુંડરીક મહાત્મા પુરૂષ છે, મહા ઉત્તમ ગુણસંપન્ન વીર છે, શુદ્ધ ધર્મનો પ્રકાશક થનારે છે અને મંગળકલ્યાણનું સ્થાન છે, એનું ભવિષ્યમાં ઉત્કૃષ્ટ મંગળ થનાર છે, માટે એને અટકાવવો એ વાત મને કઈ રીતે ઉચિત લાગતી નથી, ઉલટું મારા વિચાર પ્રમાણે તે એના ઉપરનો આપણો સાચો રાગ બતાવવા માટે–સત્ય સ્નેહ સૂચવવા માટે-નિષ્કામ પ્રેમની નિશાની તરીકે આપણે પણ દીક્ષા લેવી જોઈએ. દેવી તમે વિચાર તો કરો—એ હજુ તો બાળક છે, નાની ઉમરનો છે, ભેગ સુખ ભેગવવાને યોગ્ય છે, લાયક છે, છતાં એ ધર્મ કરવા માગે છે, તો આપણું જેવા વૃદ્ધોએ સંસારબંદિખાનામાં પડયા રહેવું એ કઈ રીતે ઉચિત ગણાય?” રાજાને આવા વિચાર સાંભળી દેવી કમલિની બહુ રાજી થયા, ઘણું પ્રસન્ન થયા અને હર્ષના આવેશમાં ગદગદ થતી વાણુએ ધ્રુજતે સ્વરે બોલ્યા “આર્યપુત્ર! આપે ઘણું સારું કહ્યું, મને એ વાત બહુ ગમી!” આ પ્રમાણે કહી રાણીએ પુંડરીકને અનુમતિ આપી અને તેની સાથે દીક્ષા લેવા માટે રાજા અને રાણું (શ્રીગર્ભરાજા અને રાણી કમલિની) પણ તૈયાર થઈ ગયા. તેઓએ પુત્રને રજા આપતી વખત જ મનમાં તે સંબંધી નિશ્ચય કરી લીધો. સુલલિતાને શેક, પ્રશ્ન, અનુસુંદરના હૃદયવેધી ભાષણથી સુલલિતાનું હૃદય વિધાણું, પુંડરીક તેમજ તેના માતાપિતાના વર્તનથી એ રાજબાળા ભ્રમમાં પડી ગઈ, ઘણી મુંઝવણમાં પડી ગઈ અને સંવેગ પામવાથી હાથ જોડી અત્યંત ખેદ સાથે મહાભદ્રા સાવીને ઉદ્દેશીને બોલવા લાગી “દેવી! મેં અગાઉ એવું તે શું પાપ કર્યું છે કે જેને પરિણામે હું આવી થઈ ગઈ છું!! તમે જુઓ તે ખરા, આ રાજપુત્ર પુંડરીક તે પ્રસંગે હાજર હતા તેથી હકીકત માત્ર સાંભળ્યા કરતો હતો, થયેલી વાત માત્ર પોતાના કાન સુધી પહોંચાડતો હતો, કથા તેને ઉદ્દેશીને કે તેના બોધ સારૂ કહેવામાં આવતી ન હોતી, છતાં એ વાતનો ભાવાર્થ સમજી ગયે. ખરેખર એ રાજકુમાર (પુંડરીક)ને ધન્ય છે; અને આ મહા ભાગ્યવાન પુરૂષ અનુસુંદરે અત્યંત આદરપૂર્વક મને ઉદ્દેશીને કથા કરી, ૧ જુઓ પ્ર. ૮ પ્ર. ૧૪. (પૃ. ૧૯૮૪.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy