SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ સાવધ થતાં જ એની આંખા ઘણી વિકસ્વર થઇ ગઇ. તેણે તેના પિતા શ્રીગર્ભ રાજાને કહ્યું “પિતાજી! આપશ્રી અહીં આવ્યા તે પહેલાં આ અનુસુંદર ચક્રીએ પેાતાની સ્થિતિથી અત્યંત વિરૂદ્ધ ચારનું રૂપ ધારણ કર્યું હતું અને ચાર તરીકે પેાતાના આખા હેવાલ કહી સંભ ળાવ્યા હતા, તેમાં તેમને પાતાને કેવી રીતે અને શાં શાં કારણેાથી સંસારમાં રખડવું પડ્યું હતું તે સર્વ જણાવ્યું હતું. તે હકીકત સાંભળીને પણ મને બાધ થયો નહાતા, મેં તે તે વખતે વિચાર કર્યો હતો કે એ સર્વ વાતને અંદરના ભાવાર્થ વિશાળ બુદ્ધિગૌરવવાળી દેવીશ્રી મહાભદ્રા સાથે વિચારીને તેને પૂછીને બધી હકીકતના અંદરના સાર સમ જીશ. પણ વાત ત્યાં અટકી નહિ. આપ ત્યાર પછી અત્રે પધાર્યા, આખા પરિષદ્ મળી. ત્યાર પછી અનુસુંદરચક્રીએ સુલલિતાને ( આ પ્રકરણમાં) પ્રેરણા કરવા માંડી, વાતના અંદરના ભાવાર્થ કેટલાક જણાવ્યેા અને તેને કેટલીક મુદ્દાની વાત ટુંકામાં કરી—એ હકીકત સાંભળતાં મારા મનમાં ઘણા પ્રમાદ થયા. એ પ્રમાદ એટલા સરસ હતા કે એનું વર્ણન થઇ શકે નહિ. એને લઈને મને અસહિષ્ણુ ભાવ પ્રાપ્ત થયા, અંદરથી ચૈતન્યે ઉછાળા માર્યો, એટલે મને મૂર્છા આવી, પણ તે જ વખતે મને જાતિસ્મરણ જ્ઞાન થયું, મને બધું યાદ આવ્યું–મેં સાક્ષાત્ જોયું કે અહા પૂર્વે હું પાતે જ કુલંધર હતા, સંસારીજીવના ( ગુણુધારણા) મિત્ર હતા, અને તે વખતે નિમૅળસૂરિએ આ અનુસુંદર ચક્રવતીના જે વિસ્તારથી ભવપ્રપંચ કહ્યો હતા તે આખા મેં સાંભળ્યા હતા અને અહા! આ (અનુસુંદર ચક્રવતી) જે હેવાલ કહી ગયા તે તે જ હતા એ સર્વ વાત મને સાક્ષાત્ ચાદ આવતાં મારા મનમાં જે સંદેહ થયા હતા તે સર્વે તૂટી ગયા, દૂર થઈ ગયા. સંસારીજીવ તરીકે જે લંમાણુ હકીકત અનુસુંદરે કહી હતી તે સર્વ નિર્મળાચાર્યે કહેલી હતી તે બરાબર બેસી ગઇ, મનમાં વસી ગઇ અને તે જ વખતે સંસારમંદિખાનાપરથી મારૂં મન ઊઠી ગયું, સંસારપર વિરાગ થઇ ગયો, પરમ સંવેગ આવી ગયા. પિતાજી! હવે મને આપ રજા આપે। એટલે હું એમની (અનુસુંદરની સાથે જ દીક્ષા લઇ લ” ૨૦૧૬ શ્રીગભૅરાજા પાસે દીક્ષા લેવાની રજા માગતા પુત્રને જોઇને દેવી મલિની તા એકદમ રોવા લાગ્યા. શ્રીગર્ભરાજા પત્નીને ઉદ્દેશીને ૧ જુએ ચાલુ પ્રસ્તાવ-પ્રકરણ ૧૬ ને છેડેા. ૨ ચાલુ પ્રસ્તાવ-પ્રકરણ પાંચમું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy