SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાના પ્રતિખેાધ ૨૦૧૧ “ વળી ભદ્રે ! તું યાદ કર. સ્પર્શ વિગેરે ઇંદ્રિયોનાં પરિણામ કેવાં ભયંકર છે તે મેં તને અનુક્રમે માળના સંબંધમાં, પૂર્વ સ્મરણા- જડના સંબંધમાં, મંદના સંબંધમાં, અધમના સંબંનાં રહસ્યા. ધમાં અને ખાલિશના સંબંધમાં જણાવી આપ્યું, વિસ્તારથી જણાવી આપ્યું છતાં તે વાત પણ તારા હૃદયમાં જરા પણ બેઠી ન હેાય, તે વાત તું જરા પણ સમજી શકી ન હાય તા તા પછી તું તદ્દન સુખી જ છે, અજાણી જ છે, લાકડાની બનાવેલી મૂર્ત્તિ જેવી જ છે. એમ કહી શકાય. અને વળી ઇંદ્રિયોને વશ કરવાને અંગે મનીષીએ આચરણા કર્યાં, વિચક્ષણે જે વચન કહ્યાં, બુધસૂરિએ જે દેશના આપી, ઉત્તમ કુમારે જે ચેષ્ટા કરી અને કાવિદાચાર્યે જે વિજ્ઞાન અતાવ્યું તે સર્વે જાણી સાંભળીને સંસાર ઉપરથી કાણુ વિરાગ ન પામે ? કાણુ એનાથી ઊંચા ન આવે? કાણુ એનાથી દૂર નાસવા તત્પર અની ન જાય? વળી ભદ્રે ! તને એધ થાય તેટલા સારૂ અંતરંગમાં બે લરકરનું સ્વરૂપ કહ્યું, બન્ને લશ્કર પૈકી એક દુશ્મનનું કામ કરે છે અને એક અંધુનું કાર્ય કરે છે, એ બન્ને લશ્કરનાં કાર્ય લડાઇ અને સરસાઇને હેવાલ તને ઘણા વિસ્તારથી કહી બતાવ્યા-એ સાંભળીને પણ તને પ્રતિબેાધ ન થયા તે ૧ બાળ-સ્પર્શેન્દ્રિયને અંગે ત્રીજો પ્રસ્તાવમાં, જડ-સેન્દ્રિયને અંગે ચેાથા પ્રસ્તાવમાં. મંદ-ધ્રાણેદ્રિયને અંગે પાંચમા પ્રસ્તાવમાં. અધમ-ચક્ષુરિંદ્રિયને અંગે છઠ્ઠા પ્રસ્તાવમાં. આલિશ-શ્રોપ્રિયને અંગે સાતમા પ્રસ્તાવમાં. આ પાંચે અંતરકથાઓ છે. બહુ વિસ્તારથી જણાવાઇ ગઇ છે. ૨ સ્પર્શેન્દ્રિયને અંગે મનીષી છેવટે દીક્ષા લે છે તનેા મહાત્ મહેસવ અને છેવટને એને ત્યાગ ત્રીા પ્રસ્તાવના પ્રકરણ ૧૫ થી ૧૭ માં જોવા. રસદ્રિયને અંગે વિચક્ષણસૂરિએ પ્રકર્ષે વિમરોની ભવચક્રનગરની ભેટનું અને રસનાના મુળનું વર્ણન ચેાથા પ્રસ્તાવમાં કર્યું તે અતિ અદ્ભુત છે, પેાતાને દીક્ષાના પ્રસંગની વાત તેમણે પ્રકરણ છઠ્ઠાથી રારૂ કરી તે પ્રકરણ ૩૮ સુધી ચાલે છે. પ્રાણદ્રિયને અંગે પાંચમા પ્રસ્તાવમાં ચંદ્રનું ચરિત્ર કહેતાં બુધસૂરિએ નવમા પ્રકરણમાં હકીકત કહી અને દેશના આપી. જીએ પ્રકરણ ૧૭ થી શરૂ થતા વિભાગ. ચક્ષુરિંદ્રિયને અંગે છઠ્ઠા પ્રસ્તાવમાં ઉત્તમકુમારનું ચરિત્ર નવમા પ્રકરણથી શરૂ થાય છે, તેમાં પાંચમા પુરૂષ ઉત્તમની ચેષ્ટા પ્રકરણ ૧૪ માં બતાવી તે વિભાગ વિચારવે . શ્રોરેંદ્રિને અંગે ફાવિદ્યાચાર્યનું વિજ્ઞાન સાતમા પ્રસ્તાવના પ્રકરણ ખારમામાં બતાવવામાં આવ્યું છે તે અત્ર નિર્દિષ્ટ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy