SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ફુટ વિવેચન પણ તારી પાસે કરી ગયે-ત્યારે શું તેને ભાવાર્થ તારા મનમાં જરા પણ બેઠે જ નથી? ત્યારે તું તે શું જોઈને આમ ચિંતા વગરની થઈને વિલંબ કરી રહી છે? તને અંદરથી દુઃખ માટે ખરે ત્રાસ કેમ થતું નથી? અરે મુશ્કે! મનુષ્યપણું પ્રાપ્ત કરીને હિંસા અને ક્રોધમાં આસક્ત રહીને મેં જે દુખપરંપરા અનુભવી તે તે તારા હૃદયમાં ધારી લીધી? તેનો અંદરનો ભાવાર્થ તારા મનમાં જરાએ ઉત? કે માત્ર મેં તારી આગળ જે વાર્તા કહી છે તેને તે કલ્પિત કથા તરીકે જ જાણે છે? તને એ બાબતમાં વાર્તા ઉપરાંત અંદરને ભાવ કાંઈ સમજાવે છે કે માત્ર નવી કલ્પિત વાર્તા સાંભળતાં સાનદાશ્ચર્ય થાય તેમ જ થયું છે? વળી માન અને મૃષાવાદથી મને કેવી પીડા થઈ, ચેરી અને માયાથી કેવી હેરાનગતીઓ થઈ તેમજ લેભ અને મૈથુનના દોષથી અંધ થયેલા મારે કેટલી યાતનાઓ સહન કરવી પડી તે સવે તે સાંભળ્યું છતાં પણ તારું મન જરાએ ઢીલું પડ્યું નથી? પિચું પડ્યું નથી? પીગળ્યું નથી? જો એમ જ હોય તે તો ખરેખર તારૂં મન કાળસર્પથી ડસાયેલું અને વજનું બનાવેલું જ હોવું જોઈએ. વળી મેં તને મારા અનુભવથી જણુવ્યું હતું કે પેલા મહામહ અને પરિગ્રહ મહા અનર્થના હેતુ છે અને તેમનામાં સર્વ દેશે એક સાથે આવીને રહ્યા છે. આટલી વાતો કહેવા છતાં અને તે પણ ખાસ મારા અનુભવથી સિદ્ધ થયેલી તને બતાવવા છતાં પણ તું તે હજી આશ્ચર્યમાં ગરકાવ થઈને પડેલી છે અને તે વાતથી કોઈ પણ બધ પામતી નથી, અંદરનો આશય સમજતી નથી, તેથી ખરેખર તું અગૃહીતસંકેતા જ છે, તારું નામ ખરેખરું પાડ્યું છે અને તે તે સાચું બતાવી આપ્યું છે. ૧ નંદિવર્ધનના ભવમાં. આ ત્રીજા પ્રસ્તાવને મુખ્ય પાત્ર છે. એનાં દુઃખનું વર્ણન સદર પ્રસ્તાવના પ્રકરણ ૨૯ અને ૩૪ માં આવ્યું છે. ૨ નોવેલ અથવા રોમાન્સ. ૩ રિષદારૂણ તરીકે ચૂંથો પ્રસ્તાવ જુઓ. પીડા માટે સદર પ્રસ્તાવનું પ્રકરણ ૪૦ મું છે. ૪ વામદેવ તરીકે. પાંચમો પ્રસ્તાવ જુઓ. એની હેરાનગતિ માટે તે પ્રસ્તાવનું પ્રકરણ ૨૨ મું છે. ૫ ધનશેખર તરીકે. છઠો પ્રસ્તાવ જુઓ. યાતનાની હકીકત ત્યાં પ્રકરણ ૧૬ માં આવે છે. ૬ કાળસર્પથી હસાયલું એટલે ઝેરી થયેલું. ૭ ઘનવાહન તરીકે. સાતમે પ્રસ્તાવ જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy