SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિધ. ૨૦૦૯ ઋદ્ધિ છેડી દઈને દીક્ષા લેવા તત્પર થઇ ગયા એ મનાવે કુલલિતાને આશ્ચર્ય ઉપજાવ્યું અને પુંડરીકને સંતોષ પમાડ્યો. અગૃહીતસંકેતા ( સુલલિતા )ને ઉદ્દેશીને હવે તે વખતે અનુસુંદર ચક્રીએ આચાર્યશ્રી સમંતભદ્રને વિજ્ઞપ્તિ કરી તેથી તે ચક્રવર્તીને દીક્ષા દેવાને તૈયાર થઇ ગયા. તે વખતે વળી અનુસુંદરને મનમાં કરૂણા ઉત્પન્ન થઇ તેથી રાજપુત્રી સુલલિતાને ઉદ્દેશીને તેણે એક વાર છેવટનું કહી નાખ્યું. તે બોલ્યાઃ— (C · સુલલિતા ! તું આશ્ચર્યચકિત નજરે આમ તેમ જોયા કરે છે તે તને શું હજી પણ બાધ થયા નથી ! તને થોડો થોડો ભાવાર્થ સમજાયા હોય તેમ તેા લાગે છે, પરંતુ તારૂં ચિત્ત હજુ પણ દોલાયમાન થતું હાય–સત્ય અને દેખાવ વચ્ચે ઝાળા ખાતું હોય એમ જણાય છે. ત્યારે શું તું હજી સાચા તત્ત્વના નિર્ણય કરી શકી નથી? જો ભદ્રે ! તને બાધ કરવાના હેતુથી મારા આખા ભવના પ્રપંચ-મારૂં પ્રથમથી અત્યાર સુધીનું વિગતવાર ચરિત્ર તને મેં કહી સંભળાવ્યું. એ આખું ચરિત્ર સંસારપર અત્યંત ઉદાસી ઉત્પન્ન કરે તેવું છે તે તે તારા સમજવામાં-જાણવામાં આવ્યું હશે. ત્યારે શું આવડું અને આવું ચરિત્ર સાંભળવા છતાં આ સંસારબંદીખાનું જેમાં અનંત દુ:ખના વિસ્તાર ભરેલા છે તેના ઉપર તને વૈરાગ્ય આવતા નથી? તને તેના પર કંટાળા થતા નથી? તને તેના તરફ ઉદાસી ઉત્પન્ન થતી નથી? તું વિચાર કર! મેં ઉપમાનદ્વારા 'અસંવ્યવહાર નગરમાં જીવાને કેવી વેદના થાય છે તે તને વિસ્તારથી મારા પેાતાના અનુભવદ્વારા કહી સંભળાવી. અરે ભાળી ! તે પીડા તારા જાણવામાં આવી નહિ? કે તારા હૃદયમાં તેની મહત્તા હજુ ખરાબર ઠંસી નહિ? અરે અત્યારે તું કાળજી અને ીકર વગરની થઇને સંસારકારાગ્રહમાં શું જોઇને આનંદ માને છે? કેમ પડી રહે છે? તને હજી ખરી વસ્તુસ્થિતિનું અને તારા પોતાના સાચા સ્થાનનું ભાન કેમ થતું નથી ? તને એવી ભયંકર અસહ્ય પીડાઓ ઉપર કંટાળે કેમ આવતા નથી ? એકદ્રિય અને વિકલદ્રિય ભવામાં તથા તિર્યંચ ગતિમાં હું ઘણા કાળ ભમ્યો ત્યારે મારે માથે કેવાં કેવાં દુઃખા પડ્યાં તેનું આત્મવિડંબનાનું પુનઃવર્ણન. ૧ ખીન્ન પ્રસ્તાવના સાતમા પ્રકરણમાં તે વર્ણન આવી ગયું. ૨ એકેંદ્રિય દુ:ખવર્ણન ખીન્ન પ્રસ્તાવના આઠમા પ્રકરણમાં, વિકલેંદ્રિય માટે તે જ પ્રસ્તાવના નવમા પ્રકરણમાં અને તિર્યંચગતિ માટે પછીના દશમા પ્રકરણમાં વર્ણન થઇ ગયું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy