SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્ય પાત્રોની સંપૂર્ણ પ્રતિ. પ્રકરણ ૧૬ મું. અનુસુંદર (ચક્રવર્તી–ચાર )નું ઉત્થાન. અનુસુંદર ચક્રવર્તી જે સુલલિતા, મહાભદ્રા અને આચા ર્યશ્રી તથા કુમાર પુંડરીક સમક્ષ ચારનું સ્વરૂપ લઇ હાજર થયા હતા તેણે પેાતાના આખા હેવાલ ત્રણ પહેારમાં કહી સંભળાવ્યેા, ચારનું રૂપ ધારણ કરવાનું કારણ સમજાવ્યું, પોતાને ભવસ્વરૂપ કેવી રીતે અને ક્યારે જણાયું હતું તેની વિગતે પણ જણાવી દીધી અને સુલલિતાના સર્વ સંદેહો દૂર કર્યા, શંકાઓનું સમાધાન કર્યું અને સર્વને પ્રતિબેાધ થાય તેવી રીતે પોતાનું લખાણ કાર્ય પૂરૂ કર્યું. સર્વ વાતનું આવી રીતે સંમિલન થયું. હવે તે સર્વ પાત્રોની પ્રગતિ કેવી રીતે થઇ તેની વિગત ગ્રંથકત્તો જણાવે છે. સુલલિતા ભોળી હતી અને સહૃદયા હતી. તેના મન ઉપર આ આખી વાર્તાએ બહુ અસર કરી, એના હૃદય પર ચક્રવર્તીના હેવાલે ખાસ છાપ પાડી અને એના હૃદયમાં સુંદર ભાવના ઊઠી. કુમાર કુંડરીક પણ વાતના ભાવાર્થ થોડો થોડો સમજી ગયા અને બહુ પ્રસન્ન થયો. તે અત્યાર સુધી તદ્દન ચૂપ રહ્યો હતો. તેણે હવે અનુસુંદર ચક્રી જે હજુ પણ ચેારને આકાર ધારણ કરી રહ્યો હતેા તેને પૂછ્યું, “આર્ય ! અત્યારે હવે તમારા હૃદયમાં શા ભાવ વત છે? તમારી ચિત્તવૃત્તિને પ્રવાહ હાલ કઇ દિશાએ વહન કરે છે?” ૧ આ આઠમા પ્રસ્તાવના ચાર વિભાગ પડે છે. પ્રથમમાં ગુણધારણના ભવથી અનુસુંદર ચક્રવર્તી થાય છે ત્યાં સુધીનું સંસારીજીવનું ચરિત્ર ( પ્રકરણ ૧-૧૧ ). ખીજામાં સર્વનું સંમિલન, ચેારાકાર ધારણ ખુલાસા ( પ્રકરણ ૧૨-૧૫ ). ત્રીજામાં એ સર્વ મુખ્ય પાત્રાના મેક્ષ (પ્રકરણ ૧૬-૨૨) અને ચાયામાં ગ્રંથનું રહસ્ય, પ્રશસ્તિ વિગેરૢ (પ્રકરણ ૨૩), ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy