SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચેર. ૨૦૦૩ શોધતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તે જ વખતે હું ગુણધારણ હતે તે વખતની અવસ્થા બરાબર યાદ આવી ગઈ. તે વખતે સદુ ધમંત્રી જે મારી પાસે હમણું જ લડાઈ કરીને આવ્યા હતા તેણે પાછી પિતાની લડાઈ તે અંદર ચાલુ જ રાખી હતી. મારા મનના અધ્યવસાય ઊંચા પ્રકારના થતા જતા હતા તે જ વખતે એ સાધનો મિત્ર અવધિજ્ઞાન પોતાના દુશમનને જીતીને મારી પાસે આવ્યો. એના બળથી તે મેં સંખ્યતા દ્વીપ અને સંખ્યાતા સમુદ્રો જોયા, સંસારનો મેટે પ્રપંચ હું જોઈ રહ્યો, જ્યારે હું સિંહાચાર્યો હતો તે વખતે પૂર્વના જ્ઞાનને મેં અભ્યાસ કર્યો હતો અને જે જ્ઞાન ત્યાર પછી વિસરાઈ–અવરાઈ ગયું હતું તે પણ પાછું યાદ આવ્યું, તે પરનું આવરણ ખસી ગયું, જ્ઞાન સાથે જ્ઞાન અને અભ્યાસને અતિશય પણ જાગ્રત થઈ ગયો અને નિર્મળસૂરિએ અગાઉ મને જે આત્મસંસારવિસ્તાર વિગતવાર જવ્યો હતો તે મારી નજર આગળ તરવરવા લાગ્યો, પ્રત્યક્ષ દેખાવા લાગે. એ હકીકત ઉપર વધારે વિચાર કરતાં કરતાં મારે પોતાને અસંખ્ય ભવથી પરિભ્રમણ કરવાને આખો વૃત્તાંત યાદ આવ્યું. આ બધી હકીકત જતાં અને ઉપર જે કારણે બંધ કરવા અંગે જણાવ્યાં તેથી પ્રેરાઈને અલલિતાને સત્ય દર્શન કરાવવા અને પુંડરીકને વસ્તુશાન કરાવવા આવું ચોરનું રૂપ કરીને હું અહીં આવ્યો, અંદરથી તો વિડંબનાઓ ચાલુ જ હતી અને સદરહ કારણસર બાહ્ય વિડંબનાની રચના કરીને મહાભદ્રા સાથે આવ્યું. ત્યાર પછી મારા સંબંધમાં શું બન્યું તે હે સુલલિતા ! તું સારી રીતે જાણે છે! તે મને જે જે પ્રશ્નો ઉપર પૂક્યા હતા તે સર્વના જવાબ આમાં આવી ગયા. સુલલિતા! તું મદનમંજરી પિતે જ છે તેથી મારા મનમાં ૧ અવધિ જ્ઞાનને દુશમન અવધિજ્ઞાનાવરણીય કર્મ. તેને હઠાવે ત્યારે અવધિજ્ઞાન થાય. જ્ઞાન આત્માને ગુણ છે, આવરિત હોય છે, આવરણ દૂર થયે પ્રગટ થઈ જાય છે. ૨ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૧૦ મું. સિંહ નામના સાધુ-આચાર્ય થયા ત્યાર પછી ગરવોથી અધઃપાત થયો હતો તે યાદ કરવું. ૩ જુઓ પ્રકરણ છઠું (ચાલુ પ્રસ્તાવ). ત્યાં નિર્મળાચાર્ય કારણો પર વિવેચન વિસ્તારથી કરે છે અને સંસારનો પ્રપંચ બતાવે છે. ૪ આ પ્રકરણની શરૂઆતમાં (પૃ. ૧૯૯૪) કરેલ સવાલોના જવાબ ટુંકામાં થઈ ગયા, અત્ર તે સંક્ષેપે છે અને સર્વ સંમીલનને અધિકાર પ્રકરણ બારથી શરૂ થયો તે પણ અત્ર પૂરો થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy