SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચર. ૨૦૦૧ મારા પર મજબૂત હેવાથી, હૃદયમાં અંગીકારપણું દઢ અને તેણે તદા થઈ ગયેલ હેવાથી, ગૌરવથી અત્યંત ભાવિત હૃદય કરેલી જાગૃતિ. હેવાથી, પ્રેમભાવનું અનુષ્ઠાન કરેલ હોવાથી મારા મનમાં વિચાર ઉત્પન્ન થયે કે-અહો! આ ભગવતી સાવી તે કાણું હશે! એને જોઉં છું ત્યારે મારા હૃદયને આટલે બધો આહાદ થાય છે, આંખો શીતળ થઈ જાય છે, શરીરને શાંત ભાવ પ્રાપ્ત થઈ જાય છે અને એ જાણે મને આખોને આ અમૃતના કુંડમાં ઝબોળી દેતા હોય તેમ ઠંડે શાંત કરે છે. મેં તે જ વખતે તે જ વિચારની સાથે ભગવતી સાવીને પ્રણામ કર્યા. તેમણે પણ મને ધર્મલાભને આશીર્વાદ આપે અને પછી બોલ્યા “નરોત્તમ (ઉત્તમ મનુષ્ય ! આ મનુષ્યપણું મેક્ષને પ્રાપ્ત કરાવી આપે તેવું છે. તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરીને આવે ઉન્માર્ગે ઉતરી ગયા છે તે ઠીક નથી; તમારે તો બીજે રસ્તે જ જવું જોઈએ. તમારા શા હાલ થાય છે તે જુઓઃ તમારાં પિતાનાં કર્મના અપરાધને લઇને તમે ચોરનો આકાર ધારણ કર્યો છે, તમને વધ કરવાને સ્થાનકે અત્યારે લઈ જવામાં આવે છે અને તમને અત્યારે પણ ઘણી ભાવવિલંબના કરવામાં આવે છે. ત્યારે મહારાજ !! આમાં તે રાજ્ય શું? અને વિલાસ શા? ભેગો ક્યા અને વિભૂતિઓ કઈ? અને એમાં નિરાંત કે સ્વસ્થતા ક્યાં જાય છે? મહારાજ ! મનમાં જરા વિચારે.” આટલું બોલતાં અને મને વધારે ધારીને જોતાં મહાભદ્રા સાવીને પણ વિચાર થઈ ગયો અને વિચારને પરિણામે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. કંદમુનિના સમયથી માંડીને અત્યાર સુધી બધે સંબંધ અને તેને અંગેના પિતાના સર્વ પૂર્વ ભાવો તેમને તે વખતે સ્મરણમાં આવી ગયા. વળી તે જ વખતે શુભ અધ્યવસાને પરિણામે તેમને (મહાભદ્રાને) અવધિજ્ઞાન પણ ઉત્પન્ન થયું. એટલે એણે અવધિજ્ઞાનના જોરથી મારું પૂર્વ ચરિત્ર પણ જોઈ લીધું. પછી પૂર્વસ્મરણો. તેમણે (મહાભદ્રા સાથીએ) મને કહ્યું “અરે રાજન ! યાદ કરે, જ્યારે તમે ગુણધારણ હતા ત્યારે મારી ૧ જાતિસ્મરણ જ્ઞાનઃ પોતે પૂર્વ કાળમાં કોણ હતા અને કયાં હતા તેનું સ્મરણ. એ મતિજ્ઞાનનો વિષય છે. ૨ અવધિજ્ઞાનઃ આ આત્મગૌચર જ્ઞાન છે. એનાથી અમુક કાળથી અને અમુક હદ સુધીમાં બનેલા પૂર્વ કાળના બનાવો યાદ આવે છે, અન્ય સંબંધી હોય તે જોઇ શકાય છે. અવધિજ્ઞાનના અસંખ્ય પ્રકાર છે. એની હદ વધતી ઓછી હોય છે. “અવધિ’ એટલે હદ. એનો વિસ્તાર સાધારણ જિજ્ઞાસા માટે પ્રથમ કર્મગ્રંથની ગાથા છીમાં જોઈ લેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy