SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ “ આવી રીતે જ્યારે મને વધસ્થાનકે ગધેડાપર બેસાડી લઈ જવામાં આવતા હતા અને મારી આસપાસ ચાકી માટે રાજપુરૂષા ફરી વળેલા હતા અને છેકરાઓ ગડબડ મચાવી રહ્યા હતા તે વખતે તમે લોકોએ ( મહાભદ્રાએ અને ચુલલિતાએ ) મારા મોટા લરકરની ગડબડના અવાજ સાંભળ્યેા. તમારામાંથી સાઘ્વી મહાભદ્રા મારી સામે આવ્યા. હવે તે વખતે મારા પેાતાના આખા લરકરને પછવાડે મૂકીને હું આ ચિત્તરમ ઉદ્યાનમાં લીલામાત્રથી આવ્યા અને મારી સાથે રાજવલ્લભખાસ પુસે અને રાજપુત્રોને જ રાખ્યા. મારા સુંદર હાથી ઉપરથી હું રાતા અશાકના ઝાડ તળે ઉતર્યો અને આખા ઉદ્યાનને ચારે તરફ જોતાં તે ઘણું સુંદર જણાયું. એ ઉદ્યાન સારી રીતે જોવાની મારા મનમાં ઇચ્છા થઇ અને મેં તે માટે ચાલવાના વિચાર કર્યાં. મારી સાથેના રાજપુત્રો મને દેવ દેવ’ એમ કહીને સુંદર ભાષામાં ચિત્તરમ ઉદ્યાનની શાભા ખતાવી રહ્યા હતા તે વખતે દૂરથી આ ભાગ્યશાળી શ્રીમહાભદ્રાને આવતા મેં જોયા. તેઓએ ગુરૂમહારાજ પાસે વધસ્થાનકે લઇ જવાના પુરૂષને વૃત્તાંત સાંભળ્યા હતા અને મારી પર કરૂણા લાવીને મારા તરફ આવતા હતા તે વાત મેં હમણા જ જણાવી છે. હું અનેક વસ્તુઓ જોઇ રહ્યો હતો ત્યાંથી મારી આંખ મેં પાછી ખેંચી લીધી. તેમના ઉપર મારી આંખેા ખીલાની જેમ અંધાઇ ગઇ, તેમના તરફ જોવામાં રક્ત થઇ ગઇ, તેમના દેખાવ પર સ્થિર થઇ ગઇ. એ સાધ્વી જો કે જાતે તદ્દન નિઃસ્પૃહી હતા અને મહા ભાગ્યવાન્ ઉચ્ચગ્રાહી મહાસત્ત્વશાળી હતા છતાં પૂર્વકાળના અભ્યાસને યોગે મારા તરફ પ્રેમાળ થયા, સ્નેહથી ખેંચાયા અને મને જોઇને ગુરૂમહારાજનું વચન વિચારતાં મારી નજીક આવ્યા અને હું નરકગામી જીવ છું એ વિચારથી અત્યંત કરૂણાપૂર્વક મારી સામું સ્થિર નજરે જોઇ રહ્યા. “ 'હવે કંદમુનિના સહવાસમાં જ્યારે હું ગુણુધારણ હતા ત્યારે વારંવાર એના સંબંધમાં આવવાનું બનેલું અને એ પરિચયને અંગે એનું મહુમાન કરવાને વારંવાર અભ્યાસ કરેલા હેાવાથી, વિનયની અસર અને નિયંત્રણા Jain Education International મહાભદ્રાને કરૂણા. મહાભદ્રાને જાતિસ્મરણ. ૧ આ પ્રસ્તાવનું પ્રકરણ ચેાથું જીએ, જ્યારે સંસારીજીવ ગુણુધારણુ હતેા તે વખતે તેણે સ્વગ્નના અર્થ કંદમુનિને આહ્વદમંદિર અગિચામાં પૂછ્યા હતા અને કેવળી નિર્મળાચાર્યે ખુલાસા કર્યાં હતા તે જ કંદમુનિના જીવ મહાભદ્રા થયેલ છે તે હકીકત પ્રકરણ ૧૩ માં આવી ગઇ છે આ મહાભદ્રા તે પ્રજ્ઞાવિશાળા છે અને અસલના કંદમુનિના જીવ છે. તે જ પ્રમાણે સુલલિતા તે ગુણધારણની પત્ની મહનમંજરી છે. આ વાત બરાબર લક્ષ્યમાં રાખવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy