SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચર. ૧૯૯૫ અનુસુંદરે સર્વે સવાલે ધારી લીધા અને પછી પિતાની વાતને બાકીને ભાગ સંપૂર્ણ કરવાના હેતુથી અને અગ્રહીતસંકેતા(સુલલિતા)ને બોધ કરવા સારૂ તેણે જણુવ્યું “વાત એમ બની કે છેલ્લા ત્રૈવેયકથી હું ચવ્યો અને સુકછવિજયમાં ક્ષેમપુરી નગરીમાં સુગંધર રાજા અને નલિની રાણીના પુત્ર તરીકે હું ઉત્પન્ન થયે. મારું અનુસુંદર નામ પાડવામાં આવ્યું. જે વખતે મારા નામકરણનો વિધિ ચાલતો હતો તે વખતે દેવી ભવિતવ્યતાએ મહામહ વિગેરે રાજાઓને ઉત્સાહ આપતાં કહ્યું “ભાઈઓ! આ અનુસુંદરથી સમ્યગ્દર્શન અત્યારે ભવિતવ્યતા ઘણે દૂર છે, ત્યાં સુધીમાં તમારે સ્વાર્થ સાધવા માટે મર્મ દર્શન. તમારે જે જે પ્રયત્નો કરવા હોય તે તે સર્વ કરી લે. જો એક વખત કેઈ પણ પ્રકારે એ (અનુસુંદર) એને (સમ્યગ્દર્શનને) મળી જશે–પ્રાપ્ત કરશે તે પછી પેલે એકદમ પોતાના વર્ગનું જોર વધારી મૂકશે અને પછી તો અગાઉની માફક તે (સમ્યગદર્શન) તમને વચ્ચે નડ્યા જ કરશે અને આ અનુસુંદર પણ પીડા કરનારે થઈ પડશે. અત્યારે તો એ તમને બહુ ઓછી મહેનતે વશ થઈ જશે, તમારા કબજામાં બહુ ઓછા પ્રયત્ન આવી જશે, પણ જે એક વખત સબોધ વિગેરે એની સહાયમાં એની આસપાસ ફરી વળ્યા તો પછી એને ગ્રહણ કરવો ઘણો મુશ્કેલ થઈ પડશે; માટે હાલ તમે લેકે ગમે તેમ કરીને એને તમારે વશ કરી લે અને તેમ કરીને નિરાકુળપણે ચિત્તવૃત્તિનું સામ્રાજ્ય તમારા હાથમાં લઈ લે. આ બાબતમાં ગફલતી કરશે તે પસ્તાશે.” “ભવિતવ્યતાની સૂચના મહામહના આખા સૈન્ય સ્વીકારી લીધી, ઉપાડી લીધી અને તેને અમલમાં મૂકવાનો આરંભ બાલ્યકાળથી કરી દીધે. એને લઈને હું તદ્દન અણસમજુ બાળક મોહપરાયણ. હતો ત્યારથી જ તેઓ સર્વ મને વીંટાઈને બેઠા અને ચારે બાજુએથી મને વળગવા લાગ્યા. મને પોતાને વશ રાખવાના અનેક યલો અને યુક્તિઓ ચાલુપણે કરતા રહ્યા. તેઓએ મારી બુદ્ધિને અને મારી ચેતનાને એટલી બધી અંધ બનાવી દીધી ૧ જુઓ પ્રકરણ ૧૨ (ચાલુ પ્રસ્તાવ). ૨ ભવિતવ્યતાએ પૃ. ૧૯૪૩-૪ માં તક આત્રે જણાવવા વચન આપ્યું હતું તે કામ તેણે એક વાર તો ચાલુ પ્રસ્તાવના પ્રકરણ દશમાં પૃ. ૧૯૫૯ માં કર્યું અને હવે તે કાળથી શરૂ થયેલી હાનિ ફરી વાર કરી લે છે. બહુ સમજવા યોગ્ય આ પરિસ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy