SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ “રસમુદ્રના મધ્ય ભાગ કદી પામી શકે નહિ. પરદેશમાં તારે આ “પ્રમાણે વર્તવું એટલી મારી તને ખાસ ભલામણ છે.” ઘનશેખર–“પિતાજી! આપે ઘણુ કૃપા કરી ! અને મને બહુ સારી વ્યવહારૂ શિખામણ આપી ! આપ હવે મારી પ ર ક મ બુદ્ધિનો મહિમા બરાબર જોજે. પિતાજી ! હું અહીંથી આતુરતા. • એક રૂપીઓ પણ લઈ જનાર નથી, આપની પુંછમાંથી એક કુટી બદામ પણ મારી સાથે લઈ જનાર નથી, માત્ર મારૂં સર્વ (પરાક્રમ) જ મારી સાથે લઈ જઈશ, તેને જ મારું ધન ગણીશ અને તે ધનના જોરથી અનેક પ્રકારનાં ધન એકઠાં કરીને જે હું પાછો ઘરે આવું તે મારું નામ આપે ધનશેખર પાડ્યું છે તે સાચું અને યોગ્ય ગણાશે અને તેમ કરૂં તો જ હું આપને ખરે પુત્ર છું એમ આપ માનજો. જે તેમ ન કર્યું અને પૈસા ન મેળવું તે હું ઘરે આવનારે જ નથી, આપે એમ સમજી લેવું કે આપનો પુત્ર પરદેશમાં મરી ગયો છે અને મારું સ્નાન કરી લેવું. કારણ કે પિતાજી! મારે એવો દઢ નિશ્ચય છે કે સથવારે, વેપાર કરવાની ચીજો અને સહાય કરનારા માણસોની સામગ્રીથી પૈસા પેદા કરવાનું કાર્ય તો સ્ત્રીઓ પણ કરી શકે છે. ધનનાં સાધન વડે ધન મેળવવું તેમાં વિશેષતા શી છે? એવા સારા સંયોગોમાં યુવાન માણસ પૈસા મેળવી શકે તેમાં નવાઈ શી છે? મારે તો એટલું વધારે બતાવી આપવું છે કે કઈ પણ પ્રકારની ખાસ સામગ્રિ લીધા વગર અને ઘરેથી હાથે અને પગે બહાર નીકળેલે માણસ પણ પિતાનું ઘર પોતાના પેદા કરેલાં રત્નના ભંડારોથી ભરી શકે છે.” આ પ્રમાણે બોલીને મારા પિતાજીને પગે હું પો. તે વખતે - પુત્રસ્નેહથી આંખોમાંથી આસું પાડતી મારી માતા માતાને આ શ્વાસ ન. બંધુમતી પાસે ઊભી હતી અને સર્વ વાર્તા સાંભળતી હતી તેને પણ હું પગે પડ્યો અને તે જ વખતે એકદમ પહેરેલે કપડે બહાર નીકળી ગયે, માબાપ રડતાં રહ્યાં અને મારા બન્ને મિત્રો (પુણ્યોદય અને સાગર)ને અંદર સાથે લઈને હું તે ચાલી નીકળ્યો. હું બહાર નીકળવા લાગ્યો તે વખતે કાંઈક ધીરજ ધારણ કરીને અત્યંત રડતી મારી માતા બંધુમતીને મારા પિતાએ નીચે પ્રમાણે કહ્યું “વહાલી ! તું રડ નહિ, આ તે વાસ્તવિક રીતે ઘણું આનંદની વાત છે. જે સ્ત્રી તદ્દન આળસુ, નસીબ ઉપર આધાર ૧ Manliness એ સત્વ માટે બરાબર શબ્દ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy