SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પરોપકાર જ ક્યાં કરે છે, ખાસ પ્રસંગે એ અપવાદમાર્ગનું ઉત્તર ગુણને અંગે સેવન કરવું પડે છે તે તે વખતે પણું બનતી રીતે તેમાંથી સાર ખેંચવાનો પ્રયન કરે છે અને પ્રસંગ શેાધે છે, બને ત્યાં સુધી તે અપવાદમાર્ગને ખ્યાલ જ કરતા નથી, તે માર્ગે જવાનો વિચાર પણ કરતા નથી અને ખાસ કારણ જુએ છે તે માર્ગે ચાલીને પણ લાભ લઈ આવે છે. પરોપકારી સાદા જીવનની બલિહારી છે! સમંતભા પરિચય. પુંડરીક સમંતભા પરિચય. પુંડરીકન આચાર્ય પર પ્રેમ, પુંડરીકને આગમ અભ્યાસ, ત્યાર પછી ધીમે ધીમે પુંડરીક ઉમરે વધતે ચાલે. એને બાળભાવ પૂરે છે અને કુમારભાવ શરૂ થયું. એનામાં સમજણું સાથે અગાઉ જણાવ્યા હતા તે ગુણે એક પછી એક ખીલવા લાગ્યા, વધવા લાગ્યા અને એને મહાભદ્રા પર અત્યંત સ્નેહ થશે. મહાભદ્રાનો સંબંધ તેની સાથે દરરોજ વધતો ચાલ્યો. હવે એક વખત સ્થાને સ્થાને વિહાર કરતાં શ્રીમંતભદ્રસૂરિ કેવળી ફરી વાર એ જ શંખપુરનગરના ચિત્તરમઉદ્યાનમાં પધાર્યા મહાભદ્રા પ્રવર્તિનીને એ હકીક્તની ખબર પડતાં પિતે પુંડરીકને ભગવાન પાસે લઈ ગઈ. પુંડરીક ભાવીભદ્રાત્મા હતું તેથી જેવી તેણે ભગવાનની મૂર્તિ દૂરથી જોઈ તે જ તેને મનમાં ઘણો હર્ષ થયો, એમના ગુણસમૂહ પર આંતર રંજન થયું અને જ્યારે એણે કેવળીમહારાજનાં વચનો સાંભળ્યાં ત્યારે તેના ઉપર ઘણી પ્રીતિ થઈ. એની બુદ્ધિ શુદ્ધ હતી પણ એનામાં હજુ વિશેષ જ્ઞાન ન હતું, એનામાં મુગ્ધપણું હતું તેથી એણે ખુલ્લા દિલે મહાભદ્રા સાવીને પૂછયું “ભગવતિ! આ મહાત્મા કોણ છે? એમનું નામ શું છે?” મહાભદ્રાએ આ સવાલ સાંભળે એટલે પિતે વિચક્ષણ હોવાથી વસ્તુસ્થિતિ બરાબર સમજી ગઈ અને મનમાં વિચાર કર્યો કે અહો! આ રાજપુત્ર (પુંડરીક) ઘણે સરળ હૃદયનો છે અને અત્યારે ભગવાનના ગુણથી રંગાઈ ગયો હોય એમ એની ચેષ્ટા પરથી જણાય છે. તે અત્યારની એની સ્થિતિનો લાભ લઈને એ દ્વારા જ એને ભગવાનના આગમ ઉપર પ્રીતિ ઉત્પન્ન કરું અને તેના પર ભક્તિ પણ તેનામાં જાગૃત કરૂં-આવો વિચાર કરી પ્રવર્તિની શ્રી બોલ્યા “ભાઈ ! એમનું નામ સદાગમ છે.” આવો જવાબ સાંભળી વળી પુંડરીકે પૂછયું “દેવી! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy