SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] પુંડરીક અને સમંતભદ્ર. ૧૯૮૭ તે અત્યાર સુધી ઘણી કમનસીબ રહી, બહુ છેતરાયેલી રહી! અરે ખરેખર! તમે તે ઘણું સ્વાર્થી જણાઓ છે ! હવે ભગવતિ ! મારા પર કૃપા કરીને આ ભગવાનના મને દરરેજ દર્શન કરાવજો જેથી હું પણ આપશ્રી જેવી પંડિતા બની જઉં.” મહાભદ્રાપ્રવર્તિનીઓ એ ભાગને સ્વીકાર કર્યો. હવે તે દિવસથી બન્નેએ સમંતભદ્રાચાર્ય પાસે દરરોજ આવીને તેમની સેવા કરવા માંડી. એ પ્રમાણે એક માસ વિહાર. પૂરે થયે, એટલે સમયજ્ઞ ભગવાન સમંતભદ્ર બેલ્યા મહાભદ્રા! અત્યારે તમારું જંઘાબળ ક્ષીણ થવાથી તમે વિહાર કરવાને અશક્ત છે, માટે શંખપુરે જ રહે. અમે તે હવે અહીંથી વિહાર કરી જઈશું, વળી આગળ ઉપર કઈ વખત અમે અહીં આવશું. તમને ખાસ હિત થાય અને જાગૃતિ રહે તેટલા માટે અમે આ સ્થાનકે પૂરેપૂરે એક માસ રહ્યા, નહિતર તે જે ક્ષેત્રમાં સાધી હોય ત્યાં સાધુને માસકલ્પ કરવાનો પણ અધિકાર નથી; પણું માંદા માણસને સહાય કરવી-સ્થીર કરવા એ પુષ્ટ અવલંબન છે અને એવા અવલંબનને કારણે અમારી અહીં એક માસપર્યત સ્થિતિ થઈ. હવે તમારે અહીં રહીને એક બાબતમાં ખાસ ઉપગ રાખો. તમારે પેલા રાજપુત્ર પુંડરીક ઉપર ખાસ નજર રાખ્યા કરવી અને એને અનુકૂળ કર્યા કરે. એ યોગ્ય વયને થશે ત્યારે તે માટે શિષ્ય થશે.” આ પ્રમાણેનું ભગવાન્ કેવળી સમંતભદ્રનું વચન મહાભદ્રા પ્રવતિનીએ સ્વીકાર્યું. પછી તે ભગવાન ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. સાધુપુરૂષોનું જીવન પરોપકાર માટે જ હોય છે. પિતાના આત્માને નુકસાન ન થાય તે વાતને વિચાર રાખી તેઓ બને તેટલે ૧ વિહાર- સાધુ એક સ્થાનેથી બીજે સ્થાને જાય, ફરે, તેને “વિહાર કર્યો કહેવાય છે. એ જેને પારિભાષિક શબ્દ છે. ૨ માસ ૯ષઃ સાધુઓને ક૯૫ એવો છે કે શારીરિક અથવા ખાસ મહા લાભના કારણ વગર કોઈ પણ ક્ષેત્રમાં તેઓએ શેષ કાળે એક માસથી વધારે રહેવું નહિ. ચોમાસામાં ચાર માસ રહેવું. ઉગ્ર વિહાર કરવો એ ખાસ જરૂરી ગણાય છે, એક સ્થાનકે રહેવાથી પ્રતિબંધ રાગ મમતા બંધાય છે. સ્થાન તરફ. ગૃહસ્થ તરક, વૈયાવચ્ચ કરનાર તરફ, વંદન કરવા આવનાર તરફ આદિ અનેક તરક મમતા થાય તો સંસાર વધે છે. આથી સાધુને વિહાર કરવાની આજ્ઞા છે. આ ક૯૫ વીરશાસનમાં ચોક્કસ છે, જુઓ કલ્પસૂત્ર સુબોધિકા ટીકા પ્રથમ વ્યાખ્યાન, ૩ ઉપરની બાબતમાં એક એવો આદેશ છે કે જ્યાં સાધ્વીઓ રહેતી હોય ત્યાં સાધુઓએ વધારે વખત રહેવું નહિ. જે રહે તો તેમને સાધ્વી સાથે કાંઇ સંબંધ હશે એ લોકાપવાદ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy