SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ ઉપાય છે-એમ વિચારીને તેણે “કર્મપરિણામ અને કાળપરિણતિ પિતામાતા છે, તેઓ એને ઉત્પન્ન કરનાર છે અને સર્વ જીવના માતાપિતા છે એ વાતને યુક્તિપૂર્વક બરાબર સમજાવી. વળી એમને એ ખ્યાલ આવ્યું કે એ સુલલિતાને સદાગમ ઉપર પ્રીતિ ઉત્પન્ન કરવી. આ વિચાર કરીને તેને જાગૃત કરવાની શુદ્ધ ભાવનાથી મહાભદ્રા બોલ્યા “બહેન! લેકની વચ્ચે રહીને જે વાત કરતા હતા સદાગમ અને જેની વાત લેકે ધ્યાનથી સાંભળતા હતા તે પરિચય. સદાગમ હતા. તે એને બરાબર ધ્યાનપૂર્વક જોઈ લીધે એ સારું કર્યું. એ મહાત્મા બહુ જબરજસ્ત છે, ઘણા વિદ્વાન છે અને બની ગયેલા બનતા અને બનનારા સર્વ બાને સારી રીતે જાણનારા છે. એ બાબતમાં જરા પણ સંદેહ વગરની વાત છે. મને જે આ વાતની બધી ખબર પડી છે તે એ મહામાની કૃપાથી જ પડી છે. મારે એ મહાત્મા પુરૂષની સાથે ઘણું વખતને પરિચય છે. તેઓ બહુ મોટા પ્રભાવવાળા છે. આ પ્રમાણે વિગતવાર વાત કરીને સદાગમનું મહામ્ય તેણે વિસ્તારથી સુલલિતાને કહી સંભળાવ્યું (જુઓ પૃ. ૨૮૪). વળી સદાગમને ઘણો આનંદ તે રાજપુત્રના જન્મથી થયે હતો તેનું કારણ પણ તેણે કહી સંભળાવ્યું અને તે હકીકત પણ વિસ્તારથી સમજાવી. (પૃ. ૨૮૩). આટલી વિસ્તારથી હકીકત સાંભળ્યા પછી ભેળી સુલલિતાએ કહ્યું “મહારાજ ! આપને જે મહાત્મા સદારામ સાથે આટલે બધા પરિચય છે તેમનું મને પણ ઓળખાણ કરાવો.” મહાભદ્રાએ તે વાતનો ઘણી ખુશી સાથે સ્વીકાર કર્યો. (પૃ. ૨૯૨). પછી પ્રવતિની મહાભદ્રા ચાલ્યા, સાથે સુલલિતાને લઈ લીધી અને બન્ને જણું સમંતભદ્રસૂરિ સમક્ષ આવ્યા. સુલલિતાએ જેવા એ આચાર્યને જોયા કે તુરત જ તેને ઘણે આનંદ થયો, બહુ પ્રદ થયો અને જેવા ગુણો એના સંબંધમાં સાલવીએ કહ્યા હતા તેવા ગુણે એમનામાં હોવાની અને પ્રતીતિ થઈ ગઈ, પછી પ્રમેહના આવેશમાં ઉદ્ધારરૂપે સુલલિતા બેલી “હે ભગવતિ ! આવા મહાત્મા પુરૂષના આપશ્રીએ મને અત્યાર સુધી દર્શન પણ કદિ કરાવ્યા નહિ તેથી હું ૧ આ હકીકત સાથે પ્રસ્તાવ બીજનું પ્રકરણ પાંચમું મેળવતા જશે, વાત બરાબર મળતી ચાલી આવે છે. ૨ અહીં પ્રકરણ ફામાં (પ્રસ્તાવ બીજે) લખેલી વાતને સંબંધ મળતું નય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy