SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૯૭૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ અનેક નાની મોટી દુકાના હારબંધ આવી રહેલી છે, એ બજારમાં વચ્ચે વચ્ચે નાનાં મોટાં સુંદર નગરે છે તે પણ તું જાણે છે. એ બજારમાં ખરાબર વચ્ચેના ભાગમાં ક્ષેમપુરી છે. એના સ્થાનકને સુવિજય એવું નામ આપવામાં આવેલું છે. આપણે અત્યારે એ સુકતિવજયમાં બેઠેલા છીએ, તું પણ એ જ સુકવિયમાં છે અને મનાહર ક્ષેમપુરી પણ એ વિજયમાં જ આવી રહેલી છે. અવતરણ. એ ક્ષેમપુરીમાં શત્રુરૂપ અંધકારનો નાશ કરનાર અને તેજના ભંડાર સૂર્ય સમાન ચુગંધર નામને રાજા રાજ્ય કરતા હતા, મહા પ્રતાપવાળા હતા, દીન્ય કાંતિવાળા હતા, કીર્તિવાળા હતા. એ રાજાની અત્યંત વહાલી નલિની નામની પ્રસિદ્ધ પટ્ટરાણી હતી, રાજાના દર્શનમાત્રથી એનું મુખકમળ વિકાસ પામતું હતું, જાતે બહુ ભલી શાંત સુશીલ અને નમ્ર હતી, સૂર્યના દેખવાથી કમલિની જે ભાવ ધારણ કરે તેને અનુસરનારી હતી, બહેન અગૃહીતસંકેતા ! મારી સ્ત્રીએ મારી સાથે પુણ્યાદયને જોડીને મને એ નિલની રાણીની કુખમાં મૂકયા. જે રાત્રીએ હું એ રાણીની કુખમાં આવ્યા તે જ રાત્રીએ સુખશય્યામાં સુતાં સુતાં રાણીએ ચૌદ મહા સ્વમર ોયાં. સ્વ× ફળ. એ ચૌદ સ્વ. જોઇને રાણી જાગ્યા અને અત્યંત આનં દપૂર્વક એ સ્વ×સંબંધી હકીકત તેમણે પેાતાના પતિ રાજા ચુગંધરને કહી સંભળાવી. ચુગંધર રાજાએ ધ્યાન રાખીને શાંત ચિત્તે બધી હકીકત સાંભળી પછી દેવીને જણાવ્યું કે દેવી! તમને સ્વ× ઘણાં સારાં આવ્યાં છે. એનાં ફળ તરીકે એક કુળદીપક પુત્ર ૧ વિજયઃ મહાવિદેહ ક્ષેત્રના ૩૨ વિભાગ છે તેને ‘વિજય’ કહેવામાં આવે છે. સુકચ્છ એક વિજયનું નામ છે. મહાવિદેહમાં સર્વદા અવસર્પિણીના ચાથા આરાના ભાવે। વર્યાં કરે છે. પાંચે મહાવિદેહમાં થઇ જઘન્ય કાળે વીશ અને ઉત્કૃષ્ટ કાળે ૧૬૦ તીર્થંકરા વિચારતા હેાય છે. આ સુચ્છવિજય જખૂદ્વીપના મહાવિદેહને છે કે અન્યને તેની સ્પષ્ટતા કરી નથી. ૨ વસઃ સ્વપ્ર પર આખાં શાસ્ત્ર છે. એના વખત અને બીજી વિધિ પર ફળાદેશ બતાવેલ છે. આ ચૌદ મહા સ્વત્ર ગણાય છેઃ ૧ ગજ. ૨ વૃષભ. ૩ સિંહ. ૪ લક્ષ્મી. ૫ પુષ્પમાળા. ૬ ચંદ્ર. ૭ સૂર્ય. ૮ મહાધ્વજ. ૯ કળશ, ૧૦ પદ્મસરોવર. ૧૧ રનાકર. ૧૨ વિમાન. ૧૩ રતને પુંજ. ૧૪ નિબ્રૂમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ર ચક્રવર્તી અથવા તીર્થંકરની માતાએ જુએ છે. એ સ્વ× અત્યંત પવિત્ર ગણાય છે અને બહુ શુભસૂચક છે. સ્વ×સંબંધી ઘણી હકીકત કલ્પસૂત્રમાં આવે છે તે જુઓ. એના વધારે વિસ્તાર આદીશ્વર ચરિત્રના દ્વિતીય સર્ગમાં છે. જીએ શ્લાક ૨૦૭-૨૨૯, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy