SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ હરિશેખર—‹ દીકરા ! આપણે તે વિડલા પાસેથી એટલું બધું ધન મેળવવા ભાગ્યશાળી થયા છીએ અને તને તેા એટલું ધન મળે છે કે અત્યારે જોઇએ તેવા તું વિલાસ કર, ઉપભોગેા કર, દાન આપ અને પૈસા ખરચ તે સર્વને પહોંચી શકે તેટલી આપણી કુળકમાગત પુંજી છે. તારે જોઇએ તેટલા પૈસા તેમાંથી ખરચ, આપી દે કે એકઠા કર તેમાં તને કોઇ ના પાડનાર્ નથી. માટે ભાઇ ! ઘરે રહીને તારે જોઇએ તેટલા ખરચ કર, કે તારી મરજીમાં આવે તે પ્રમાણે ધનની વ્યવસ્થા કર, પણ તું પરદેશ જવાની વાત કર નહિ. તારા વગર હું એક ક્ષણુ પણ રહી શકું તેમ નથી. ’’ ધનશેખર—“ પિતાજી ! જે લક્ષ્મી પૂર્વપુરૂષોએ સ્વપાર્જિતને મહિં મા. પેદા કરી હાય તેને ઉપભાગ કરતાં તે માણસે ખાસ શરમાવું જોઇએ. મને નવાઇ તા એ જ લાગે છે કે એમ કરતાં શરમ કેમ નહિ આવતી હોય !! જેમ બાળકો નાનપણમાં માતાનાં સ્તનનું પાન કરે તે પ્રમાણે એવી વડિલાપાર્જિત મિલ્કત તે। માત્ર મૂર્ખ માણસા જ વાપરે. બાકી જ્યારે માણસ ચોગ્ય વયના (ઉમર લાયક) થાય ત્યારે એ વડિલાપાર્જિત મિલ્કતને ભાગ કરવા તે તે ઘણું જ શરમાવા જેવું છે, નીચું જોવા લાયક છે, અત્યંત તિરસ્કારને પાત્ર છે, અને પિતાજી ! એ કુળ±માગત પુંજીને ભોગવવા જ માંડી હોય તો કેટલા વખત ચાલી શકે ? સમુદ્રમાંથી તમે ટીપું ટીપું પાણી કાઢ્યાં કરે અને નવું પાણી વધારે નહિ તે મોટા દરિયા પણ આખરે ખુટી જાય, નવીન પેદાશ કર્યા વગર તા કુબેરભંડારીના ભંડાર પણ ખૂટી જાય, તો પછી આપણી પુંજી તે શા બિસાતમાં છે? માટે પિતાજી ! મને પૈસા પેદા કરવાની જે પ્રબળ ઇચ્છા થઇ છે અને તે સંબંધી મારા મનમાં જે ઉત્સાહ જાગ્રત થયે છે તેને આપે ભાંગી ન નાખવા અને મહેરબાની કરીને મારા વિરહથી થતી પીડાને આપે સહન કરી લેવી. આપને હું મારા મનમાં જે વાત છે તે સ્પષ્ટ રીતે કહી દઉં છું. વાત એ છે કે દૂર દેશાંતરમાં જઇને મારી પોતાની ભુજાએ વડે મોટી લક્ષ્મી પેદા ન કરૂં અને તે વડે રનના ઢગલાઓ ન વસાવ્યું ત્યાંસુધી મારા જીવને જંપવળે તેમ નથી, મારા મનને ચેન પડે તેમ નથી, મારા ચિત્તને નિરાંત વળે તેમ નથી. આ પ્રમાણે મારે તે ગમે તેમ કરીને પરદેશ જવું જ છે અને એ વાત મારા મનમાં ચેાસ થયેલી છે, તે પછી મારા જવાની ખામતમાં આપ અડચણ શા માટે નાખેા છે? મારે તે ગમે તેમ કરીને જવું જ છે. ’ Jain Education International ૧૪૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy