SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ નદીમાં પૂર આવ્યું એટલે તેની અંદર પેલા ત્રણે ગૌરવ મનુ પોતાના વીર્યથી નાચવા લાગ્યા, ઉભરાવા લાગ્યા અને વિશેષ ઉછળવા લાગ્યા. તે આવી રીતે – ઋદ્ધિગૌરવ.અરે મારે આવો મટે શિષ્ય સમુદાય છે! મારે વસ પાત્રાની આવી સુંદર પ્રાપ્તિ છે! લેકે મારી પૂજા કરે છે ! અરે! દેવતાઓ અને દાનવો મને વંદન કરે છે! મારી પાસે 'અણિમા વિગેરે વિભૂતિઓ છે-આવા આવા અભિમાનમાં વળી વધારે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના વિચારે કરતો રહ્યો. રસગૌરવ. વળી મને જે જે રસો (રસવાળા પદાર્થો) મળતા ગયા તેમાં મને ઘણો જ આનંદ થવા લાગે, બહુ પ્રેમ થવા લાગ્યો, મારું જીવન સાફલ્ય તેમાં સમજવા લાગ્યું અને તેના ઉપર અત્યંત લોલુપતા થતાં મને જે રસો મળતાં નહિ તેને માટે મેં માગણુઓ પણ શરૂ કરી દીધી, તેની ઉપરના પ્રેમને લીધે મારે સાધુધર્મ ચૂકી મેં તેની ભીક્ષા પણ માગવા માંડી. શાતાગૌરવ. મને જ્યારે જ્યારે સુંદર શય્યા મળે ત્યારે તેમાં નિરાંતે ઉંઘ આવવા માંડી, સુંદર પિચાં નરમ આસને મળે ત્યારે તે પર બેસવાનું મન થવા માંડ્યું, સુંદર ઝીણું રેશમી વસ્ત્રો મળે તે પહેરવાનું મન થવા માંડ્યું, નવા નવા આહારના પદાર્થો ખાવાને શેખ થવા લાગ્ય-એ વસ્તુ એને જોતાં મને સુખ થવા લાગ્યું, એ વસ્તુઓ મળતાં મને આનંદ થવા લાગે અને ભવિષ્યમાં એવી વસ્તુઓ વધારે વધારે મેળવવાની ઈચ્છાઓ-અભિલાષાઓ થવા લાગી અને એ સર્વમાં રક્તતા-લેલુપતા વધતી જ ચાલી. શિથિલતા. આવી રીતે પેલા ત્રણે મનુષ્યને હું બરાબર વશ પડી ગયે, તદન તેને તાબે થઈ ગયો અને એના વિશેષ પરિચયથી પ્રથમ તે મેં ઉગ્ર વિહાર કરે બંધ કર્યો, મારામાં શિથિ( ૧ અણિમાઃ આઠ સિદ્ધિમાંની એક છે. એથી બહુ નાનું રૂપ ધારણ કરી શકાય છે. ૨ ઉગ્ર વિહાર, સાધુએ એક સ્થાને શેષકાળે એક માસ રહેવું જોઈએ, ચોમાસામાં ચાર માસ રહેવાનું ફરમાન છે. પ્રેમબંધન ન થઈ જાય તે સારે આવું ફરમાન છે. એવી રીતે ગામેગામ ઉપકાર કરવા ફરવાના કાર્યને વિહાર કહેવામાં આવે છે-તેમાં પણ ઘણી જગ્યા પર ફરે તે કાર્યને “ઉગ્ર વિહાર” કહેવાય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy