SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ સાથે એની વધારે નજીક જાય, ત્યાર પછી તરત જ તેની પછવાડે આર્તાશય અને રૈદ્રાભિસન્ધિ નામના આપણું બન્ને પુરૂષને મેલી આપવા. એમની સાથે કૃષ્ણ નીલ અને કાપત નામની લેશ્યા ગોત્રથી પ્રસિદ્ધ ત્રણે દાસીઓ તો જરૂર આપેઆપ જ જશે. આપણે સર્વએ પ્રમત્તતા નદીના કાંઠા ઉપર પડાવ નાખવો. એ નદીને બરાબર કરીને એમાં પાણીનો પ્રવાહ જમાવે, વહેવડાવો અને આપણું મંડપ વિગેરે ભાંગી ગયાં છે તેને પાછા ( રિપેર કરીને) સમારવા. આવી રીતે આપણું આખું લશ્કર નદી કાંઠે કંપમાં રહેશે અને સર્વ પિતપિતાને યોગ્ય કામ સંભાળી લેશે તે વગર મહેનતે આપણે પ્રભાવ જામી જશે અને આપણે વિજય થશે એ મારે મત છે.” મંત્રીનાં આવાં વચન મેહરાય અને આખી સભાને ધ્યાનમાં આવી ગયાં. સર્વેએ મંત્રીની સલાહને ટેકે આપો, અનુમોદન આપ્યું અને તુરત જ તે પ્રમાણે અમલ કરવાનો આરંભ કરી દીધે. અભિમાન ગોજારૂઢ, સુંદરિ! એ સર્વ જ્યારે મારી બાજુમાં આવ્યા, મારી નજીક આવ્યા ત્યારે મારા સંબંધમાં શું બન્યું તે તું ધ્યાન રાખીને સાંભળઃ– મારૂં અત્યંત સન્માન થતું જોઈને તેમ જ મારી વધતી જતી પૂજા થતી જોઈને મારા મનમાં કલ્લોલ ઉઠવા લાગ્યા તે જાણવા જેવા છે. મારા મનમાં નીચે પ્રમાણે તુરંગ થવા માંડ્યા – અહો! મારું તેજ જબરું છે! અને મારું ગૌરવ પણ ઘણું મોટું છે! અને જગતમાં મારા જેવી પંડિતાઈ ક્યાં છે! અહંકારીના મારી વિદ્વત્તા અસાધારણ છે! અન્યત્ર એવી વિદ્વત્તા તું રે ગો. કઈ જગ્યાએ છે જ નહિ! અને ખરેખર હું તો “યુગ પ્રધાન જ છું! ભૂતકાળમાં મારા જેવા કોઈ પુરુષે થયા હોય એમ જણાતું નથી અને ભવિષ્યમાં મારા જે જબરો કે થાય એમ પણ લાગતું નથી ! અરે સર્વ વિદ્યાઓ, સર્વ કળાઓ અને સર્વ અતિશય બીજા ભુવન (સ્થાને-સ્વર્ગ મર્યાદિ) છોડી દઈને ૧ આર્તાશય-રૌદ્રાભિસબ્ધિ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. આ બન્ને દુધ્ધન છે. સાંસારિક પદાર્થોને અંગે થતાં અજ્ઞાનજન્ય મનનાં પરિણામો છે, અતિ અનિષ્ટ છે. આર્ત અને સૈદ્રધ્યાનનું સ્વરૂપ જૈન. દ. યુગમાં પૃ. ૧૩૧ થી ૧૩૮ માં લખેલ છે. આ સ્વરૂપ બહુ સારી રીતે વિચારવા યોગ્ય છે. ૨ યુગપ્રધાનઃ અત્યંત ઉચ્ચ ચારિત્રશાળી મુખ્ય પુરૂષ. સુરતમાં મેક્ષ જનાર પ્રતાપી. તત્કાળાપેક્ષયા મહા પુરૂષ, તે કાળે વર્તતા તમામ શ્રુતના પારંગામી હોય તે યુગપ્રધાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy