SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] ગૌરવથી અધઃપત. ૧૯૫૯ છે. એ બિચારા મારી આશાએ પડી રહેલા છે, મારા વચન ઉપર વિશ્વાસ રાખીને ઘણા વખતથી ચૂપ બેસી રહ્યા છે, તો હવે તેમનો અવસર આવી પહોંચ્યો છે એમ મારે તેમને જણાવવું જોઈએ. જે હું એ પ્રમાણે કરીશ તે એ બાપડા પોતાની શક્તિ વાપરી જોર બતાવી સુખી થઈ જશે! આ પ્રમાણે વિચાર કરીને ભવિતવ્યતાએ મહામોહના સૈન્યમાંથી પાદિય વિગેરે સર્વને બોલાવ્યા અને તેમને અત્યારનો અવસર સાધવા યોગ્ય છે એમ વાત કરી. આવી રીતે મારું ઘર ફડ્યું અને ઘર ફૂટ ઘર જાય એ પ્રસિદ્ધ વાત છે. પછી તે એ લુચ્ચી સ્ત્રીએ પોતાની શક્તિથી પેલા કર્મપરિણામ વિગેરે નિર્દોષ બંધુપણે માટે અનુકૂળ થઈ ગયા હતા તે સર્વેને પણ પિતાની શક્તિથી નિર્માલ્ય બનાવી દીધા, ચેષ્ટા વગરના મૂઢ જેવા બનાવી દીધા, ઘણા નરમ પાડી દીધા. પાપોદય લશ્કરને મોખરે વિષયાભિલાષની સલાહ, કાર્ય દિશાનો ચોક્કસ નિર્ણય ત્યાર પછી તરત જ મહામોહરાજાએ પોતાના સૈન્યના મોખરે ઉપર પાપોદયને રાખી ફરી વાર સૈન્યની રચના કરી અને આખું લશ્કર મારી સન્મુખ આવવા નીકળી પડ્યું. મારી સ્ત્રીની સલાહથી તેઓ મારી સન્મુખ આવવા નીકળ્યા તો ખરા, પણ તેઓને અગાઉ ઘણી આપદા પડી હતી તેથી તેમના મનમાંથી ભય ખસ્યો ન હતો એટલે પિતાના વિજય માટે તેમનાં મનમાં ઘણી શંકાઓ થયા કરતી હતી. પછી જીત મેળવવાના વિચાર ઉપર તેઓ અંદર અંદર વિચારણું કરવા લાગ્યા, સલાહ મેળવવા લાગ્યા અને અભિપ્રાયની આપલે કરવા મંડી ગયા. કેટલીક વાતચીત થઈ રહ્યા પછી મંત્રી વિષયાભિલાષ બોલ્યોઃ “ભાઈઓ! અત્યારનો અવસર જોઈને મને તો એમ લાગે છે કે આપણું કાર્યસિદ્ધિ કરવા માટે જ્ઞાનસંવરણરાજા પોતાની સાથે મિથ્યાદર્શનને લઈને તેની (સંસારીજીવની) નજીક જાય, પ્રથમ તે એને પડખે ચઢે, પછી શૈલરાજ પોતાના ગૌરવ નામના ત્રણે મનુષ્પો ૧ શૈલરાજ અભિમાન. ચોથા પ્રસ્તાવને પ્રસિદ્ધ પાત્ર. ૨ ગૌરવઃ અભિમાનના પ્રકાર. ઋદ્ધિ, રસ અને શાતા આ ત્રણ તેના પ્રકાર છે. પોતાની ઋદ્ધિ માટે, ખાવાના પદાર્થો માટે અને સુખ તંદુરસ્તી માટે અભિમાન કરવું. અભિમાનના આઠ પ્રકાર પણ છે. જૂદાં જુદાં દષ્ટિબિન્દુથી જૂદા પાડ્યા છે, બાકી મુદ્દો એક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy