SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦] ગૌરવથી અધ:પાત. ૧૫૭ વધારે વધારે રહેતે ગયો અને જાણે માર ખાસ સગો ભાઈ હોય તેમ મારી સાથે વર્તવા લાગ્યો. અગાઉ પણ મને અનેક વાર ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હતું પણ કઈ પણ વખતે મેં પૂરેપૂરા ચૌદ પૂર્વ પૂરા કર્યા ન હતા, અને આ વખતે તો બહુ થોડા વખતમાં અને રમત માત્રમાં ચૌદ પૂર્વ પૂરેપૂરા હું ભણું ગયે, તેની રટના મને બહુ સારી થઈ ગઈ. આવી રીતે સદાગમના સંબંધથી મને ઉત્કૃષ્ટ પ્રકારે જ્ઞાનપ્રાપ્તિ થઈ. | મારા ધર્મબંધુ ગુરૂએ જોયું કે મેં સર્વ સૂત્ર અને અર્થને સારો અને પૂરો અભ્યાસ ક્યાં હતો એટલે તેઓશ્રીએ શ્રીસંઘ સમક્ષ મને પિતાને સ્થાને (આચાર્ય સ્થાને) સ્થાપન કર્યો. જે વખતે મને આચાર્ય અને ગચ્છાધિપતિને સ્થાનકે બેસાડ્યો તે વખતે દેવતાઓ પણ આવ્યા, દાન પણ દાખલ થયા અને મનુષ્યોસહિત તે સઘળાઓએ મોટો ચમત્કાર ઉપજાવે તેવો આનંદેસવ કર્યો. એ મારી ઘણી પ્રશંસા કરી, દેવતાઓ પણ વખાણ કરવા લાગ્યા, ખૂદ આચાર્યગુરૂએ પણ વારંવાર લાઘા કરી અને સવે મારા સાંભળતાં કહેવા લાગ્યા કે “અહો ! આટલી નાની વયમાં તમે આટલો બધો જ્ઞાનનો અભ્યાસ કર્યો અને જ્ઞાનને ગ્રહણ કર્યું ! તમને ધન્ય છે, તમારે અવતાર સફળ છે વિગેરે વિગેરે.” મને આચાર્યપદની સ્થાપનાને પ્રસંગે લેકબંધુની વસ્ત્ર, આભૂષણ અને માળાઓથી સારી રીતે પૂજા કરવામાં આવી અને વળી આખા સંઘની ભેજનથી તેમ જ વસ્ત્રાદિની પ્રભાવનાથી વિધિપૂર્વક પૂજા કરવામાં આવી. ધીમે ધીમે મારી ખ્યાતિ એટલી બધી વધી ગઈ કે એ સર્વ દે, એ મહાભાગ મુનિઓ અને એ સજજન પુરૂષે મારા ગુણોથી અને ખાસ કરીને મારા જ્ઞાનમહિમાથી મારા તરફ વધારે વધારે આકર્ષણ પામતા ગયા, મને નમતા ગયા અને સર્વે મારા સેવક થઈ ગયા, તે ઉપરાંત અનેક મહાવિદ્વાન્ અંતેવાસીઓ (શિ) પણ સર્વ મારો વિનય કરવા લાગ્યા, મારા પિતાના ગચ્છને સાધુઓ તો શું પણ બીજા ગચ્છના મોટા ધુરંધર પંડિતે પણ મારી પાસે આવી રહ્યા-આવી રીતે મારી પ્રશંસા વધતી ચાલી, મારું કામ પણ વધતું જ ચાલ્યું. ત્યાર પછી હું પણ નવાં નવાં જુદાં જુદાં ગામોમાં, શહેરોમાં અને રાજધાનીમાં વિહાર કરતાં ચાલ્યો અને દરેક જગ્યાએ વિદ્વતાપૂણું ઘણું સુંદર વ્યાખ્યાન આપતો રહ્યો, અનેક જગ્યાએ સભાઓને રંજન કરતો ચાલ્યો અને પ્રશંસાના ડંકા વગડાવતે રહે. ૧ લોકબંધુઃ જિનેશ્વર મહારાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy