SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૯૫૫ વીશ સાગરોપમને અંતે મનુજગતિ નગરીના એક એરવત નામના સંદર નાના પેટા વિભાગીય પાડામાં મારી ભાર્યા ભવિતવ્યતાના સંબંધથી હું આવી પહોંચ્યો. એ ઐરવત પાડામાં એક સિંહપુર નામનું નગર હતું. ત્યાં વીણા અને મહેંદ્ર નામના સ્ત્રી પુરૂષ રહેતા હતા. તેઓ જાતે ક્ષત્રિય હતા. તેમને હું પુત્ર થશે. મારૂં ગંગાધર નામ રાખવામાં આવ્યું. પરાક્રમની બાબતમાં ત્યાં મારી સારી વિખ્યાતિ થઈ. યોગ્ય વય થયા પછી અને સારી આબરૂ જમાવ્યા પછી મને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં દીક્ષા લીધી. સુઘોષ નામના અતિ વિદ્વાન અને આત્માનુભવ કરનાર મહાત્મા આચાર્યના હાથ નીચે અગાઉની પેઠે મેં સર્વ કૃત્યો કર્યા અને અંતે અગાઉ જણવેલાં ક્રમ પ્રમાણે મેં સંલેખના અનશનાદિ કર્યા. આખરે મારી ભાર્યાને ભેગથી હું બીજે રૈવેયકે ગયે. * આવી રીતે અનુક્રમે મનુષ્ય , દીક્ષા લીધી, તેનું વિધિપૂર્વક પાલન કર્યું, તે સંલેખના કરી અને ત્રીજે રૈવેયકે ગયે-એમ કુલ પાંચ વાર જવાનું થયું અને પાંચે રૈવેયકે હું ગયો. મનુષ્યભવમાં દીક્ષા લઈને ઉપર ચઢતો ગયો અને રૈવેયકમાં એક એકનો વધારો કરતો ગયે. બહેન અગૃહીતસંકેતા! આવી રીતે મારી સ્થિતિ વધતી ચાલી. છેલ્લે પાંચમાં રૈવેયકમાં સતાવીશ સાગરોપમની સ્થિતિ જોગવી. ત્યાં મને સુંદર, ચિત્તને તદ્દન શાંત કરનારી અને સુખસમૂહને આપનારી અત્યંત પવિત્ર કલ્યાણમાળા પ્રાપ્ત થઈ. ૧ એરવતઃ જંબુદ્વીપમાં ભારત ઐરાવત અને મહાવિદેહ ત્રણ ક્ષેત્રો છે. એમાં ભરત એરવતમાં છ છ આરા ક્રમે સારા અને ખરાબ વર્તે છે. મહાવિદેહમાં હમેશા ચોથા આરાના ભાવ વર્તે છે. જંબુદ્વીપ ફરતો લવણ સમુદ્ર છે. તેની ફરતો ધાતકી ખંડ દ્વીપ છે, તેમાં બે બે ભરત એરવત મહાવિદેહ છે અને તેની ફરતો કાળાદધિ સમુદ્ર છે. ત્યાર પછી પુષ્કર દ્વીપ આવે છે. તેમાં પણ બે બે ભરત ઐરાવત મહાવિદેહ છે. અત્ર પાંચમાના કોઈ પણ ઐરવતમાં સંસારી જીવ ગયો હોય એમ જણાય છે. જૈન પૃથ્વી સંબંધી હકીકત અઢીદ્વીપના નકશાની હકીકતમાં મળશે. ૨ જાતી-મરાજ્ઞાન પતે પૂર્વ ભવમાં કોણ હતા તે યાદ આવે. આ જ્ઞાન મતિજ્ઞાનનો ભેદ છે. કેટલા ભવ યાદ આવે તે ક્ષપશમ ઉપર આધાર રાખે છે. આ કાળમાં પણ એ જ્ઞાન થઈ શકે છે, એને નિષેધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy