SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ તેમજ સૂરિપદે આવ્યા પછી સંયોગ અને તપગનું સારી રીતે પાલન કર્યું. પછી પ્રમત્તતા નદી વિગેરે દુશ્મનને ક્રીડા કરવાના સ્થાને હતાં તે ભાંગી નાખ્યાં, ચિત્તવૃત્તિ અટવીને વાળી ઝૂડીને વધારે સાફ કરી. આવી રીતે સંયમગ સાધતાં અને ગુરૂમહારાજનાં ચરણની સેવા કરતાં સાધુપણુમાં હું ઘણે કાળ વિચર્યો, આખરે સંલેખના કરી, અને નશન કર્યું. આ બધી બાબત જોઈને મારી ઉપર દેવી ભવિતવ્યતા તુષ્ટમાન થયા. તેણે મને એક બીજી ગોળી આપી. એના તેજથી વિબુધાલય વિભાગના કપાતીત વિબુધેમાં મને લઈ જવામાં આવ્યો. પ્રથમ રૈવેયકે મારી સ્થાપના કરવામાં આવી. મને ત્યાં દેવપણે ઉત્પન્ન કર્યો. પ્રથમ પ્રિવેકે, પ્રથમ રૈવેયકમાં ત્રેવીશ સાગરેપમ કાળ સુધી હું રહ્યો. ત્યાં અત્યંત મનોહર દીવ્ય પલંગ પર અતી સુંદર કિમતી વસ્ત્ર પાથરવામાં આવ્યાં હતાં. ત્યાં અત્યંત નિર્મળ આકારને ધારણ કરીને હું બહુ સુખમાં રહ્યો. આખો વખત શાંત જીવન ગાળ્યું, સર્વ પ્રકારની બાધા પીડાના અભાવવાળું સુખી જીવતર વ્યતીત કર્યું અને સુખામૃતને સાક્ષાત અનુભવ કર્યો. સિંહપુરે ગંગાધર. દીક્ષા. ચારિત્ર, પાંચે રૈવેયકે. ૧ સંલેખના મરણ નજીક જાણી જરૂરી વસ્તુ સિવાય સર્વ સંગને ત્યાગ કરવામાં આવે છે. એનો વિધિ આઉર પચ્ચખાણ પન્નામાં બતાવ્યો છે. દરેકે બહુ જ વિચારવા યોગ્ય છે. ૨ અનશનઃ ચારે આહારને ત્યાગ. સર્વ ભેજનનો ત્યાગ કરી મરણ નજીકને સમયે ધ્યાનગ્રસ્ત થવું એ અંત સંલેખનાનો એક પ્રકાર છે. ૩ કપાતીતઃ જુઓ નેટ પ્રસ્તાવ ૭ મે, પ્રકરણ ૧૬ મું. (પૃ. ૧૮૨૦-૧). ૪ ચૈવેયક બારમા દેવલોકની ઉપર મહદ્ધસંપન્ન નવ યકના દે રહે છે. તેઓ અત્યંત સુખી હોય છે. વૈમાનિક કલ્પાતીત દેવનો એ એક પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy