SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૯૫૩ બાહ્ય લિંગ હવે આપવામાં આવે છે. તે સાંભળી અત્યંત વિનયપૂર્વક બહુ કૃપા કરી! મારા નાથ ! એટલા શબ્દો હું ઉદ્ધારરૂપે બેલ્યો. - ત્યાર પછી આઠ દિવસ સુધી શ્રીજિનેશ્વર દેવની પૂજા રચવામાં આવી (અષ્ટાલિક મહત્સવ કર્યો), મુનિઓની આઠે દિવસે પૂજા કરી, આખા નગરના સર્વ શહેરીઓને આનંદ કરાવ્યું, બંધુવર્ગને યોગ્ય ભરભળામણુ કરી દીધી, યાચક અને ઈચ્છકની માગણીઓ પૂરતી રીતે સંતોષી, મારા પુત્ર જનતારણને રાજ્યગાદી પર સ્થાપન કર્યો અને તે કાળને યોગ્ય સર્વ પ્રકારની જરૂરી ક્રિયાઓની વિધિઓ સંપૂર્ણ કરી દીધી; પછી મદનમંજરી, કુળધર અને પ્રધાન સેવકવર્ગ સહિત નિર્મનસૂરિ પાસે ગ્ય વિધાનપૂર્વક દીક્ષા અંગીકાર કરી, સંસારગ્રહથી બહાર નીકળે, અર્થાત્ દ્રવ્યથી દીક્ષા ગ્રહણ કરી, મુનિવેશ ધારણ કર્યો. અભ્યાસ. વિહાર, સલેખના, અનશન, પ્રથમ રૈવેયકે સૂરિપદે આવ્યા પછી હું સાધુને સર્વ ક્રિયામાર્ગ બરાબર શીખે. ત્યાં આવ્યા પછી સદાગમ મારા પર વધારે પ્રેમી . તેણે મને જે પ્રમાણે સૂચના આપી તે પ્રમાણે મેં અગીઆર અંગનો અભ્યાસ કર્યો, કાળિક અને ઉત્કાળિક સૂત્રો ભર્યો. વળી સમ્યગદર્શન ઉપર તે બહુ પ્રેમી થઈ ગયો. તે ઉપરાંત ચારિત્રધર્મ ઉપર તે હૃદયને પ્રેમ વધતે જ ચાલે. સૂરિપદે આવ્યા પછી એના લશ્કરને બહુ સારી રીતે ઓળખ્યું, તેમનાં દરેકનાં કાર્યની કિમત થઈ, પરીક્ષા આવી. ૧ ભાવ લિંગને અંગે બાહ્ય ચિહ્ન ઘણી વાર ઉપયોગી સાધન બને છે, કેટલીક વાર અમુક વેશ કે કીર્તિ પતિત થતાં અટકાવે છે અને વ્યવહારને અંગે તેની ઉપર જણાવેલી જરૂર છે. અહીં વિચારવા જેવી વાત છે કે અંતરંગ શુદ્ધિ થયા પછી પૂર્ણ યોગ્યતા જોયા પછી અને યોગ્ય સમય ઉમેદવારી કરાવ્યા પછી દ્રવ્ય દીક્ષા આપવામાં આવે છે. આ નિયમ સાર્વજનિક જણાતો નથી. એમ લાગે છે કે વ્યક્તિવિકાસ ઉપર દીક્ષાકાળને નિર્ણય કરવામાં આવતો હશે. એ બાબત ગમે તે હોય પણ નિર્મળસૂરિએ જે માર્ગ સ્વીકાર્યો છે તે ખાસ વિચારવા યોગ્ય તો છે જ. ૨ મતલબ એ છે કે બાહ્ય વિધિપૂર્વક મને દીક્ષા આપવામાં આવી અને સ્થીર તરીકે હું સૂરિ પાસે રહ્યો. ૩ કાલિક સૂત્ર-ઉત્કાલિક સૂત્ર દિવસ અને રાત્રિના પ્રથમ અને અંત્ય પહેરમાં જ જેનું અધ્યયન થઈ શકે તે “કાલિક સૂત્રો અને માત્ર કાળવેળા છોડી ૨ કોઇ અવસરે જેનું અધ્યયન થઇ શકે તે “ઉકાલિક સત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy