SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૮ રહે, તેઓનાં કેળાં વચ્ચે હું બેસે, તેઓ મારી સાથે વિલાસ કરેઆવી રીતે મને સુખને અનુભવ થે, અત્યંત આનંદ થયે, સંપૂર્ણ રસના પ્રમોદમાં મેં ડૂબકી મારી. મેં એ વખત ચિંતવના કરી કે અહો ! મહાત્મા ભગવાન નિર્મનાચાર્ય જે સુખાનુભવની મને અગાઉ સૂચના કરી હતી તેને અત્યારે મને સાક્ષાત્કાર થાય છે!! આવી રીતે અત્યંત પ્રભેદનો અનુભવ કરતા હું સપ્રમદપુરમાં રહ્યો હતો તે વખતે મહાનિર્મળાચાર્ય નુભાવ શ્રી નિર્મળાચાર્ય ફરતાં ફરતાં પાછા તે જ નગરે આ ગ મ ન. આવી પહોંચ્યા, પિતાનો આ પરિવાર તેમની સાથે હતું અને તે જ આહાદમંદિર બગિચામાં આવીને તેઓશ્રી ઉતર્યા. મને જેવા તેઓશ્રીના આગમનનાં સમાચાર મળ્યાં કે તુરત જ અત્યંત આદરપૂર્વક હું આહંદમંદિર તરફ ગયે, બહુ પ્રેમભક્તિપૂર્વક મેં તેઓશ્રીને વંદન કર્યું. વ્યવહારદ્રવ્યભાવ લિંગ, મહાપૂજાની તૈયારી, દ્રવ્ય દીક્ષા ગ્રહણ, પછી મારા લલાટે બન્ને હાથ જોડીને અત્યંત વિનયભાવથી નમન કરીને બહેન અગૃહીતસંકેતા! મેં આચાર્ય મહારાજને વિજ્ઞપ્તિ કરી“ભગવાન ! આપશ્રીએ આદેશ આપ્યો હતો તે પ્રમાણે અત્યાર સુધી સર્વ વ્યવસ્થા મેં કરી છે. નાથ! હવે કૃપા કરીને મને દીક્ષા આપે.” મહા વિચક્ષણ નિર્મળસૂરિ મહારાજે જવાબ આપે “રાજન ! તને ભાવથી ભાગવતી દીક્ષા આપોઆપ જ પ્રાપ્ત થઈ ગઈ છે તે હવે દીક્ષા આપવાની તો ક્યાં રહી? જે ભાઈ ! હકીકત એમ છે કે હાલ છેલ્લા થોડા વખતથી તું ઘરમાં રહ્યો ત્યારે તારા સંબંધમાં જે બન્યું છે અથવા તે જે બનાવ્યું છે તે ખાસ સવિશેષપણે સાધુપણામાં કરવાનું છે; તેથી ભાવદીક્ષા તે તે વસ્તુતઃ લઈ લીધી જ છે. છતાં ડાહ્યા માણસોએ આ બાબતમાં વ્યવહારનું ઉલ્લંઘન કરવું ન જોઈએ તેથી દ્રવ્યલિંગ (બાહ્ય વેશ) તને આપવામાં આવશે. કેમકે ભાવલિંગમાં બાહ્ય ચિહ્ન પણ હેતુ તરીકે ખાસ પસંદ કરવા યોગ્ય છે તેથી તેને ૧ વ્યવહાર બાહ્ય નજરે જોનારને પ્રતીતિ ઉ૫જવાનું કારણ. વસ્તુતવે તે નિશ્ચય માર્ગ જ લાભ આપે છે પણ વ્યવહારનો લોપ કરવાથી અવ્યવસ્થા થઈ જાય તેથી સમુદાયકારણે વ્યવહારને ખાસ ઇષ્ટ માન્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy