SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૫૧ સાથે મેં આનંદ કર્યો, તેમના સંગમાં રહી શાંત જીવન ગાળ્યું, પીડા બાધા વગરની સ્થિતિ અનુભવી, અનેક પ્રકારના પ્રમોદને પછા-વળી તે વખતે મારું પોતાનું આખું લશ્કર પણ મને ઘેરીને બેસી રહ્યું અને અંતરંગ વિલાસમાં ઊંચા પ્રકારની લીલા કરતાં સ્વસંવેદન સુખ અનુભવ્યું, મુનિ નિર્મળાચાર્ય કહી ગયા હતા તે સર્વ બાબતોનો સાક્ષાત્કાર કર્યો અને તેમનાં વચનની સત્યતા મને બરાબર સમજાણી. હવે એ શુભપરિણામ રાજાને નિપ્રકંપતા રાણથી બીજી પણ ઘણી દીકરીઓ થઈ હતી. તેઓ અનુક્રમે ધૃતિ, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, ઉપેક્ષા, વિજ્ઞપ્તિ, કરૂણા વિગેરે અને નક હતી. એ સર્વ કન્યાઓને હું પર. એ સર્વ નવીન સ્ત્રીઓ અને અગાઉની દશે સ્ત્રીઓ સાથે આખો વખત વિલાસ કરતો રહ્યો, આનંદ અનુભવતો ગયે, મજાઓ ઉડાવતો રહ્યો. એ સર્વ સ્ત્રીઓ મારી પાસે જ ૧ વસવેદન આત્મસાક્ષાત્કાર, જાતે અનુભવ કરવો તે. ચોથી દષ્ટિની આખરે સંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સ્વસંવેદન શરૂ થાય છે. એ અદભુત અપૂર્વ આત્મદશા છે, એગ પ્રગતિની નિશાની છે, આત્માનું ઉત્થાન બતાવનાર છે. એને વિસ્તાર યોગદષ્ટિસમુચ્ચયમાં જોવામાં આવશે. સામાન્ય માહિતી માટે જુઓ જે. દ. યોગ પૃ. ૩૭. ૨ ધૃતિઃ વૈર્ય, ધીરજ, શાંતિ, આત્મબળ. શ્રદ્ધાઃ આસ પુરૂષ પર વિશ્વાસ, આત્મબળ પર વિશ્વાસ, આત્માને પુરૂવાર્થ મોક્ષ લઈ શકે એવો નિર્ણય. મેધાઃ દલીલ કરવાની સમજવાની પચાવવાની બુદ્ધિ. વિવિદિષાઃ ધર્મવાદ કરવાની ઇચ્છા. એથી સામો મનુષ્ય યોગ્ય ધર્મ પામી આત્મકલ્યાણ કરી શકે છે. સુખા સુખને અનુભવ, વાસ્તવિક સુખને સ્વાદ. મૈત્રીઃ સર્વ જીવને પોતાના બંધુ ગણું તેમને શરીરનું કે મનનું દુઃખ ન થાય તેવું વર્તન તેમની સાથે કરવું. પ્રમુદિતાઃ ગુણ ઉપર, ગુણવાન ઉપર, ગુણવાન સાથે સંબંધ કરનાર ઉપર ખાસ પ્રેમ, તેમના તરફ આકર્ષણ. ઉપેક્ષાઃ દેશ અને દોષવાળા તરફ બેદરકારી, તેઓની કર્માધીન સ્થિતિ પર વિચારણું. વિજ્ઞતિઃ વિશેષ જ્ઞાન, સમજણ, જિજ્ઞાસા અને જ્ઞાનવ્યય. કરૂણાઃ પાપનાં પરિણામો અત્યારે સહન કરતાં હોય તેઓ પર દયા, પ્રેમ, તેમને દુઃખમાંથી તારવાની તીવ્ર ઈચ્છા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy