SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. છે. શરીરે રોગો અને સંતાપે પણ થઈ આવે ખર! વળી એટલા લાંબા વખત સુધી તદ્દન લખુંસુકું ખાવાનું મારાથી કેમ બની શકે? અને બિચારી મદનમંજરી હજુ ઘણું કાચી છે, પિચી છે. એને જે જીવે ત્યાં સુધીને માટે મારે હમેશને વિયોગ થાય તે તે એને બહુ કલેશ થાય, ઘણું દુઃખ લાગે !! વિગેરે વિગેરે. આવા આવા તુરંગેને પરિણામે મારા હૃદયમાં કાંઈક ભગ્ન પરિ ગણામ થયા, મેં વિચાર કર્યો કે ત્યારે શું હવે પેલી સધને વખત- કન્યાઓને પરણવાને વિચાર માંડી વાળું? તો તો પછી સરને સપાટે. નિરાંતે સુખે રહેવાય. હાલ તે જુવાનીને વખત છે, જરા મજા ભેગવી લઉં. એ સ્ત્રીઓ સર્વ આખરે તે મારે આધીન જ છે. જુવાની પૂરી થશે ત્યારે એને વખતસર પરણી લઈશ અને પરણીને તુરત દીક્ષા લઈશ.–સબોધમંત્રી દૂર હતું તે વખતે મને આવો વિચાર થઈ આવ્યું અને તે મારા મનમાં જ રહ્યો. એ તરંગો અને વિચારે ચાલતા હતા ત્યાં સંગબળે સબંધમંત્રી આવી પહોંચે એટલે મેં એને મારો અંદરને સાચા અભિપ્રાય જણાવી દીધું. સબોધ તે મારા વિચાર સાંભળીને સડક થઈ ગયો. તુરત બેલી ઉક્યો “દેવ! આપે જે નિર્ણય કર્યો છે તે બરાબર નથી. તમારે એ નિર્ણય તમારા આત્માને ઘણું નુકસાન કરનારે છે, તમારા પરમ સુખની આડે આવનાર છે અને અાપણને વાવટો છે. હું તમને ખાત્રીપૂર્વક કહું છું કે તમારે જે આ અભિપ્રાય થયો છે તે તમારે પિતાને અભિપ્રાય નથી, સ્વાધીન મત નથી, સ્વાભાવિક નિર્ણય નથી, પણ પેલા દુરાત્મા મહામહેને વિલાસ છે, એના પરિવાર અને સેનાનીઓનો વૈભવ છે, એના આશ્રિતએ કરેલી પ્રેરણાનું પરિણામ છે. (મહા વિદ્યાસાધન કરીને ) જ્યારે નિધાન (ભંડાર) હાથ ધરવાનો વખત આવે ત્યારે બરાબર છેલ્લી વખતે વૈતાળે આડા આવીને ઊભા રહે તેમ તેઓ સર્વ દુષે અંદરખાને ગૂપચૂપ રહીને બરાબર વખતે આપને વિન્ન કરવા આવી પહોંચેલા છે. પણ આપે એ પાપીઓથી આત્માની જરા પણ વંચના (છેતરપીંડી) થવા દેવી નહિ.” સોઘે જે વાત કરી તે મારા ચિત્તમાં બરાબર લાગી ગઈ. પછી મારી અને તેની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇ – ૧ વૈતાળ એક જાતના અધમ રાક્ષસે. મંત્રસાધના કરી રહેવા આવે ત્યારે આ દો છેલ્લી ઘડિએ છળ કરવા આવે છે અને જે સાધ્ય પ્રાપ્ત કરવાનું હોય છે તેમાં આડા આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy