SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] ધનશેખર-સાગર મૈત્રી. ૧૪૬૭ કરે તેમ એ હરિશેખરે મિત્રમંડળને પોતાના ઉત્તમ ગુણોથી આનંદયુક્ત કરી દીધું હતું, મતલબ કે એ શેઠ જેવા ધનવાન એવા જ ગુણવાનું પણ હતા. એ હરિશેખરને અત્યંત વહાલી બંધુમતી નામની સ્ત્રી હતી; આર્યકુળમાં ઉત્પન્ન થયેલી એ લલના લાવણ્યરૂપ અમૃતને તે જાણે કુંડ જ હતી, જાતે પરમ પવિત્ર હતી અને હરિશેખરના હૃદયમાં વસેલી પ્રેમમૂર્તિ હતી. એ બંધુમતી જાણે રૂપનું પણ રૂપ હોય નહિ તેવી લાગતી હતી, લક્ષ્મીદેવીનું જાણે દર્શન કરાવતી હોય તેવી જણાતી હતી, ઉત્તમ શીલવ્રત અને ચારિત્રનું તે જાણે આવાસ જ હોય તેવી પવિત્ર હતી અને પતિભક્તિનું સાક્ષાત મંદિર હોય તેવી માલૂમ પડતી હતી. અહો અગૃહીતસંકેત ! મને હવે મારી સ્ત્રી ભવિતવ્યતાઓ એક નવીન ગોળી આપી તે લઈને હું આ બંધુમતીની કુખમાં દાખલ થયો. મારી તે માતાની કુક્ષીરૂપ યંત્રમાં અનેક પ્રકારે પીલાયા પછી આખરે જ્યારે મારો ત્યાં રહેવાનો સમય પૂરે થયે ત્યારે જેમ નારકીમાંથી નારકીના જીવ બહાર નીકળે તેમ હું મારી માતાની કુખમાંથી બહાર નીકળે અને હું બહાર આવ્યું ત્યારે મારી સાથે મારા બે મિત્રો પણ આવ્યા, મને બહાર આવેલ જેમાં પુત્રજન્મથી બંધુમતી ઘણી રાજી થઈ, હરિશેખરને પણ આનંદ થયો અને તેઓએ પુત્રજન્મનો મહોત્સવ કર્યો, લેકેને અને સંબંધીઓને જમાડ્યા અને વધામણીઓ આપી. મારા જન્મને બાર દિવસ થયા એટલે અત્યંત મોટા મહોત્સવપૂર્વક મારા માતાપિતાએ ધનશેખર એવું મારું નામ પાડ્યું. મારી સાથે તે જ વખતે બે મિત્રોનો પણ જન્મ થયો એમ ઉપર જણાવ્યું તે સાગર અને પુણ્યોદય નામના મારા દતદારે સમજવા. એ બન્ને મિત્રો અંતરંગ રાજ્યના રહેનાર હોવાથી મારા પિતાને એમની હયાતીની કે જન્મની ખબર ન પડી પણ તેઓ મારી સાથે રહેવા લાગ્યા અને મારી જ સાથે વધવા લાગ્યા. એવી રીતે મારા મિત્રોની સાથે વધતા વધતા હું કામદેવના મંદિર સમાન યુવાવસ્થા પાપો, ૧ આ વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે અને અગૃહીતસંકેતા સાંભળે છે. આ સંસારીજીવનું ચરિત્ર છે. આ વખતે તે ધનશેખર તરીકે પ્રસિદ્ધ થવાને છે અને તેને સાગર (લાભ) અને મિથુન (પર રમણી રમણ) સાથે પ્રેમ થવાને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy