SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૯ ] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન, પ્રગતિ. ૧૯૪૩ તના શિખરપરના જૈનનગરમાં પધારવું. તે ચારે રાજાએ તેના કહેણને માન આપીને પેાતાના આખા પરિવાર સાથે તે નગરે આવી પહોંચ્યા. તે સર્વે પધાર્યા ત્યારે તેમની પદવીને ચેાગ્ય માન સન્માન સર્વને આપવામાં આવ્યું. લગ્નના દિવસ સર્વેએ સાથે મળીને મુકરર કર્યાં. મહામેાહના સૈન્યમાં ખળભળાટ. વિષયાભિલાષનું વક્તવ્ય. ભવિતવ્યતાની સલાહુ આ પ્રમાણે જૈનનગરમાં તૈયારી ચાલતી હતી ત્યારે તે જ વખતે મહામાહુના લશ્કરમાં આખા સમુદાય એકઠા થયા. તેઓએ અંદર અંદર સલાહ કરવા માંડી. વિષયાભિલાષ મંત્રીએ પ્રથમ વાત ઉપાડી -“દેવ! મારા પ્રભુ! મારૂં માનવું છે કે જે સંસારીજીવ પેલી ક્ષાંતિ વિગેરે કન્યાઓ પરણશે તે આપણે તે સર્વે ઠાર મુઆ સમજવા! મને તો પ્રસંગ ઘણા ગંભીર જણાય છે તેથી આપણે આ બાબતમાં ગફલતી રાખવા જેવું નથી, આપણે તે તેની સામે સર્વ પ્રકારના પ્રયત્નો કરવાની અત્યારે જરૂર છે, આપણે સાહસ કરવું જોઇએ અને કાઇ પણ પ્રકારની નાઉમેદી છેડી દેવી જોઇએ. એ તે જાણીતી વાત છે કે જ્યાં સુધી આપણા કામના છેડો ન દેખાય ત્યાં સુધી જ બીક રાખવી, પણ જો એક વખત પ્રયોજન જ પ્રાપ્ત થઇ જાય તે તેા પછી જરા પણ બીક રાખ્યા વગર પ્રહાર કરી નાખવા અને પ્રયોજન સાધવું.” મહામાહ રાજાએ પોતાના મંત્રીનું વચન સ્વીકારી લીધું અને આખા લરકરે એના વિચારને ટેકો આપ્યા. તુરત જ બધી સામગ્રી તૈયાર કરાવવામાં આવી, લશ્કરને તૈયાર થવાના હુકમ અપાયો અને ઘેાડા વખતમાં તે આખું લશ્કર તૈયાર થઈને આવી પહોંચ્યું. આખા લશ્કરમાં લડવાના પૂરતા ઉત્સાહ હતા પણ તે વખતે મહારાજા કર્મપરિણામ તેમની વિરૂદ્ધ થઇ ગયા હતા તે બાબતના દરેકનાં મનમાં અંદર ખાનેથી ભય હતા, તેથી તેઓ અંદર અંદર વાતા કરતા હતા, તેઆના મનમાં કાંઇક આકુળતા હતી, તેને પરિણામ માટે શંકા હતી, તેથી આખરે વિચાર કરીને તેમણે દેવી ભવિતવ્યતાને અમારે શું કરવું? એમ પૂછ્યું. દેવીએ તુરત જ જવામ આપ્યો “ ભાઇ ! અત્યારે તમારે લડવાના સમારંભ કરવાના વખત નથી. અત્યારે મારે પતિ સારી રીતે આદરભાવ પામ્યા છે, ઠીક થઇ ગયા છે, કર્મપરિ ામના એને માટે બહુ ઊંચા મત હાલ તુરત થઇ ગયા છે, વળી અત્યારે એની પાસે શુભપરિણામ વિગેરે ચાર મોટા રાજાએ આવી યા છે અને તે તેને મળી ગયા છે, આવી બેવડી મદદ અને ટેકાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy