SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ નિર્મળાચાર્ય–“રાજન ! હાલ તે તેઓ શું કરે? તેઓ અત્યારે તે વખત પસાર કરે છે, પિતાની તક આવવાની રાહ જોઈને બેઠા છે અને લાગ જોયા કરે છે. અત્યારે તો તેઓમાંના જે ખેંચાઈ ખેંચાઈને બહાર આવ્યા તેટલા નાશ પામી ગયા છે, કેટલાક અંદર શાંત થઈને પડી રહ્યા છે અને સર્વે તારી ચિત્તવૃત્તિમાં લપાઈ છૂપાઈને પાતળા થઈને પડી રહ્યા છે; પણ તેઓનાં મનમાં હજુ ખાર ઘણે છે, દ્વેષ ઘણો છે, તેથી જ્યારે તેમને પ્રસ્તાવ મળી આવશે ત્યારે બધા એકી સાથે એકઠા થઈને ધસારો કરશે અને લડાઈ કરવા માટે એકદમ તૈયાર થઈ જશે. એવું જ્યારે બની આવે ત્યારે સાધના કહેવા પ્રમાણે તારે કરવું અને તેની મદદથી ચારિત્રરાજના એકે એક સેનાનને લઈને તારે સામા લકરના દરેક સેનાનીને જૂદા જૂદા વારવા, જાદા જૂદા દાબી દેવા.” ગુણધારણ–“જેવી મહારાજની આજ્ઞા !” ત્યાર બાદ માસકલ્પ પૂરો થવાથી આચાર્યશ્રી નિર્મળસૂરિ વિહાર કરીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. પ્રકરણ ૯ મું. નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન, પ્રગતિ. નન અ9 NER & SS ન- મ - SAI - + ; ET A. જિ નિ ક ર્મળાચાર્ય મારી સર્વ શિકાઓ દૂર કરી, વિદ્યા સાથે ભારે પરિચય વધતો ચાલ્ય, મારે આનંદ અવિ૬ છિન્નપણે વધતો રહ્યો અને એના આખા વિદ્વત્તા ભરેલા શરીરનો ઉપગ અહોનિશ થતો ચાલ્યો. આ ચાર્યશ્રીના ઉપદેશ પ્રમાણે મેં અનુષ્ઠાન કરવા માંડયા, ૧ ઉદીરણા દ્વારા ઉદય આવ્યાં તે ભોગવાઇ ખરી ગયાં છે, બીજું ઉ૫શમભાવને પામ્યાં છે પણ અંદર સત્તામાં રહ્યાં છે. ૨ અંહીં ર. એ. સાયટિવાળા છાપેલ પુસ્તકનું પૃ. ૧૧૫૧ શરૂ થાય છે. ૩ માસક૯પ-સાધુએ આઠ માસમાં એક સ્થાનકે વધારેમાં વધારે એક મહિને રહે છે તેને માસક૯૫ કહે છે, વર્ષાદના ચાતુર્માસમાં એક સ્થાનકે ચાર માસ રહે છે, આવી રીતે નવકપી વિહાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy