SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૭૯ લશ્કર સંસારીજીવને હિત કરનારૂં છે તો પણ અંદર રહીને ગુપ્ત રીતે તેને મદદ કરવી જેથી કદાચ એ લકર વડે પાપેદય વિગેરે જીતાઈ જાય તો પણું મહામહ વિગેરે મારા બંધુઓ મારી વિરૂદ્ધ ન પડી જાય, મારી સામા ન થઈ જાય. કર્મપરિણુમે બહુ વિચાર કરીને પિતાના મનમાં આ નિર્ણય કર્યો અને પછી મેં દર્શાવેલી શુભ ભાવનાએ તેણે તારા હૃદયમાં વધારી, તું ભાવના ઉપર ચઢ્યો અને જેમ જેમ તું ભાવના ઉપર ચઢતે ગયો તેમ તેમ સબંધની સાથે આવેલું લશ્કર વધારે વધારે બળવાન થતું ગયું. કારણ કે - મમિત્રવધારીનાં માવનાનાં વિશેષતા अचिन्त्यमिह विज्ञेयं वीर्यमाश्चर्यकारकम् ॥ “ચિંતામણિ વિગેરે મણિઓ, દૈવાધિષ્ઠિત મંત્રોને, સિદ્ધ થયેલ ઔષધિને અને ખાસ કરીને ભાવનાને પ્રભાવ અજબ છે, તેની શક્તિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી હોય છે. રાજન ! જેમ જેમ તારી ભાવનાઓ વધતી ગઈ તેમ તેમ મહામોહ વિગેરે લડાઈમાં નરમ પડતા ગયા, પાછા હઠતા ગયા, હાર પામતા ગયા. સધનું સૈન્ય વધારે જોર પકડતું ગયું અને તે લશ્કરે પાદિય વિગેરે આખા લશ્કરને ક્ષણવારમાં જીતી લીધું અને મહામહ વિગેરે શત્રુઓને લેહીલુહાણ કરી મૂક્યા અને ખાસ કરીને જ્ઞાનસંવરણ રાજાના તો ચૂરેચૂરા કરી નાખ્યા. તે વખતે પાપોદય વિગેરે તદ્દન મંદા પડી ગયા, હારીને હેઠા ભાવનાઃ હર્ષ. બેઠા અને સબંધ અને વિદ્યાનો આખા લશ્કર સાથે ઉલ્લાસ. લગ્ન. જય થ, તેઓ વધારે નજીક આવ્યા અને ચારે તરફ એ લડાઈનું શુભ પરિણામ દેખાવા લાગ્યું. તું પણ તે જ વખતે સધ મંત્રીની વધારે નજીક ગયે, તને મનમાં ઘણે હરખ થઈ આવ્યો, ઉલ્લાસ થ, આનંદ થયે. પછી સબોધમંત્રી તને મળ્યા, તું એને ભેટ્યો, એણે તને વિદ્યા કન્યા પરણવી તે વખતે અને ત્યાર પછી શું થયું તે સર્વ તે રાજન ! તું સારી રીતે જાણે છે. ગઈ રાત્રે તને શુભ ભાવનામાં વધારે છે અને ઘણે હર્ષ તથા ઉલ્લાસ થઈ આવ્યો તેનું આ જ કારણ છે કે હવે તારા સમજવામાં આવ્યું હશે.” આ પ્રમાણે હકીકત નિર્મળાચાર્ય કેવળીએ ગુણધારણ રાજાને જણાવી. અંતરશત્રુની વર્તમાન અને ભવિષ્યત સ્થિતિ, ગુણધારણ (હું) “ ત્યારે સાહેબ! એ પેલા અંતરંગ શત્રુઓ (પાદિય-જ્ઞાનસંવરણ-મહામહ વિગેરે) હાલ શું કરે છે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy