SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૯૩૭ ચાલતાં તેણે કહ્યું “અરે! સ ધ મારે મોટો દુશ્મન છે, આકરે શત્ર છે અને તે સંસારીજી પાસે જાય, નિર્ભય ચાલ્યો જાય અને હું ઊભો ઊભો જોયા કરું એ વાત તે કદિ બની શકે? અને મારા એવા માલ વગરના જીવતરનું ફળ પણ શું? એ તો ખાલી માતાને કલેશ કરાવનારૂં હીન સર્વ જીવન ગણાય!! તમારા સાંધાઓ અહીકથી નરમ પડી ગયા હોય તો તમારી મરજીની વાત છે, તમારે આવવું હોય તો આવો, ન આવવું હોય તો તમારી ઈચ્છા ! હું તે સાધના માર્ગમાં અડચણ નાખવા અને તેને ખુલના કરવા આ ચાલ્યો ! બન્ને મોટા સૈન્યનું મહા યુદ્ધ, સંશયારૂઢ કર્મપરિણામની વિચારણું, ભાવના અને જ્ઞાનસંવરણની હાર, (નિર્મળાચાર્ય ગુણધારણ પાસે આગળ વાત કરે છે...) ઉપર પ્રમાણે આવેશપૂર્વક ભાષણ કરીને જ્ઞાનસંવરશુરાજાએ તો તુરત પ્રયાણ કર્યું, અંદર અંદરની સલાહ કર્યા વગર એ તો જુસ્સામાં ઉપડ્યો એટલે શરમના માર્યા પાપોદય વિગેરે બીજા સેના નીઓ પણ તેની પછવાડે ગયા. તેઓ સર્વએ સોધને આવવાનો રસ્તો રોકી પાડ્યો, છતાં તે વખતે હવે પછી શું થશે એ સંબંધમાં સર્વના મનમાં શંકા હતી. હવે તે વખતે સધ મંત્રી અને તેની પછવાડે ચારિત્રરાજનું આખું લશ્કર ચાલતું ચાલતું જ્યાં જ્ઞાનસંવરણ રાજા માર્ગ રોકીને પડ્યો હતો ત્યાં આવી પહોચ્યું. બન્ને લકરોએ એક બીજા સામે ટેથી બૂમો પાડવા માંડી અને તે વખતે બન્ને વચ્ચે મોટું ભયંકર યુદ્ધ થયું. એક બાજુએ અત્યંત સફેત સુંદર શંખ જેવું ધળું લશ્કર લડી રહ્યું છે અને બીજી બાજુએ કાળા ભમરાઓના જેવા રંગવાળું લકર લડી રહ્યું છે-એ બન્ને લશ્કરોને ભેટે ગંગાયમુનાના સંગ જેવો લાગે છે. ગંગાનો શ્વેત રંગ અને જમનાનો કાળ રંગ પ્રયાગ પાસે મળે છે ત્યાં જેવો દેખાવ આપે છે તે દેખાવ બન્ને લકરને થઈ રહ્યો છે, મહારથી દ્ધાઓ રથવાળાઓની સામે લાગી ૧ અહી બે વાત નુકસાન કરનારી જણાય છે: એકસંપ અને અકનિશ્ચય વગર આગળ ધસારો અને બીજું સંશયામા વિનશ્યતિ વાળ નિયમ. આ બન્ને હકીકત સાથે આદરેલ કાર્યનું પરિણામ સારું આવતું નથી એ વૃદ સંપ્રદાય છે અને તે અનુભવ સિદ્ધ છે. ૨ ધળું અને કાળું લશ્કર કઈ બાજુનું હશે તે વાંચનારની કલ્પના પર ગ્રંથકર્તાએ છોડયું છે. ગંગાયમુનાના સંગની ઘટના બહુ મજાની કરી છે. ૩ મહારથીઃ ૧૧૦૦૦ ધનુર્ધાર સાથે યુદ્ધ કરી શકે એવો શસવિધામાં કાળ યાદો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy