SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ સધ મંત્રી પિતે વિદ્યાકુમારીને લઈને તારી પાસે આવે છે. એવા સમાચાર જેવા મહામહરાજાની છાવણમાં પડયા કે ત્યાં તો મોટે ખળભળાટ થઈ ગયો, સર્વ ગભરામણમાં પડી ગયા અને બધાએ પાપદયને આગળ કરીને અંદર અંદર ગુફતેગો કરવા માંડી, અભિપ્રાયની આપલે કરવા માંડી અને શું કરવું તે પર ખ્યાલ દોડાવવા માંડો. વિષયાભિલાષ મંત્રીએ પ્રથમ વાત ઉપાડી-“અરે પેલે હરામખોર યુ ઠગા સબંધ સંસારીજીવની પાસે જાય તો તમે તો બધા મરી જ ગયા એમ સમજજો. એ સબોધ તો બહુ ભયંકર છે. ભારે ખટપટી છે અને સંસારીજીવને આપણી વિરૂદ્ધ ઉશ્કેરી મૂકે તે છે; માટે હવે તે તમે તમારાથી બને તેટલે પ્રયત્ન કરે અને એના રસ્તામાં આડા પડીને એ સંસારીજીવની પાસે ન જાય તેવી અડચણ નાખો, એને માર્ગમાં ખલનાઓ કરે અને એને આગળ વધતો અટકાવો.” વિષયાભિલાપના આવા વિચાર સાંભળીને પાપોદય સેનાની બોલ્યો “અરે ભાઈઓ ! જ્યારે આપણે પોતાનો જ સ્વામી (કર્મપરિણામ રાજા) એના પક્ષમાં જઈ બેઠે છે, એ આપણે ઉપરી હોવા છતાં સામી બાજુએ જઈ બેઠે છે ત્યારે આપણે તે શું કરીએ? આપણુથી શું થઈ શકે? તમે સર્વ યાદ કરે : જ્યારે એ કર્મપરિણામ મહારાજ અત્યાર સુધી આ પણું પક્ષમાં હતા ત્યારે આપણે સર્વે ઘણું બળવાન હતા. એ મહારાજા ત્રાહિત (તટસ્થી તરીકે બન્ને લશ્કરમાં હોય છે ત્યાં સુધી તો આપણે જોર વાપરીને લડીએ છીએ અને તેમ કરવું તે આપણી ફરજ છે, પરંતુ અત્યારે તો એ સધમંત્રી મહારાજા કર્મપરિણામના હુકમથી જે આવે છે અને પૂરતા વેગ સાથે આવે છે તેથી તેના માર્ગમાં ખલના નાખવાનું કામ બની શકે તેમ નથી. જે મહારાજા કર્મપરિણામ અગાઉની માફક ઉદાસીન રહ્યા હતા તે તે આપણે આપણું જોર બતાવી શકત. વળી જ્યારે જ્યારે લડવા જવાનું હોય છે ત્યારે મહારાજા (કમૅપરિણામ) તરફથી મને ફરમાન થાય છે, હુકમ આવે છે, પણ આ વખતે મારા ઉપર કાંઈ હુકમ પણ આવ્યો નથી તેથી આપણે તે હાલ દૂર જ બેઠા છીએ. અત્યારે આપણી એવી પરિસ્થિતિ છે, સધ સંસારીજીવ પાસે જાય છે અને આપણે જોયા કરવાનું છે, મારી સલાહ પ્રમાણે તે આગળ ઉપર આપણે લાગ આવે ત્યારે જોઈ લેશું, હમણું તે સ ધને જવા દે. પાપોદય સેનાનીનાં આવાં વચન સાંભળતાં જ્ઞાનસંવરણ રાજા એકદમ ગુસ્સામાં આવી ગયા, ક્રોધથી એના હોઠ ધ્રુજવા લાગ્યા અને આવેશમાં આવી જઈ લડવા માટે તે એકદમ તૈયાર થઈ ગયા. ચાલતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy