SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૯૩૫ કરવા યોગ્ય સર્વ ગુણોથી તે સુંદરી યુક્ત હતી, જોતાં જ મનને તદ્દન શાંતિ આપનારી અને તેનું નિર્વાણ કરાવે તેવી હતી. આમ હોવાથી સ્થિર દષ્ટિથી લાંબા વખત સુધી હું એ કુમારીને જોઈ રહ્યો ! તે જ રાત્રીએ તે જ વખતે એ પવિત્ર કન્યાને સંબોધે મારી સાથે પરણુંવી. સદાગમ વિગેરે જે લગ્નના સાક્ષી તરીકે હાજર હતા તેમને બહુ જ આનંદ થયે. ત્યાર પછીની રાત્રી આનંદમાં ૫સાર થઇ ગઇ. પ્રભાતે હું ઉો, મારા પરિવાર સાથે હું આચાર્ય મહારાજ શ્રી નિર્મળાચાર્ય પાસે ગયે, તેમને વંદન કર્યું, તેમની સૂરિ પાસે સાથેના સર્વ સાધુઓને વંદન કર્યું. ત્યાર પછી અત્યંત ખુલાસો. વિનયપૂર્વક હાથ જોડીને મેં સૂરિમહારાજને ગઈ રાત્રે બનેલે આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી આચાર્ય મહારાજને સવાલ કર્યો-“સાહેબ! કાલે રાત્રે મને એવી સુંદર ભાવના થઇ આવી અને ઘણું મજાને હર્ષને ઉલ્લાસ થઈ આવ્ય-એ સવે શું થયું અને કેમ થયું? તે આપ સમજાવો.” સદબોધને થયેલો પ્રયાણનો હુકમ મહામહરાજના સૈન્યમાં ખળભળાટ, જ્ઞાનસંવરણ રજા રણ ગણે, આચાર્યશ્રીએ રાજાને સવાલ સાંભળે એટલે વિગતવાર હકીકત સમજાવવા સારૂ તેઓ બોલ્યા-“રાજન્ ! બરાબર ધ્યાન દઈને સાંભળ. તારે આ હકીકત બહુ જ વિચાર કરીને સમજવા લાયક છે. તારાં સારાં કૃત્યોથી પેલે કર્મ પરિણામ મહારાજા તારા ઉપર રાજી થઈ ગયો એટલે તેણે જાતે સસ્તી લઇને પ્રયાણ કર્યું અને સબોધને અને વિઘાને પ્રેરણું કરી કે તેમણે બન્નેએ તારી પાસે આવવું. સાધે પિતાના રાજા ચારિત્રરાજ સાથે સલાહ કરી અને તેમને અભિપ્રાય જાણું તે પોતે (સધ) વિદ્યાને લઈને તારી સમીપ આવવા સારૂં નીકળી પડ્યો. ૧ ૫. ૧૮૯૦ માં સાથે છેડો વખત વિલંબ કરવા જણાવ્યું હતું. તે વખતે તેણે ગૃહિધર્મને અને તેની સ્ત્રી સદગુણરક્તતાને મોકલવાની સલાહ આપી હતી. ત્યાર પછી ગુરૂપરિચયથી જ્યારે ગુણપ્રાપ્તિ થઈ એટલે ધારેલે વખત આવી લાગે ત્યારે સદુધ અને વિધા આવી મળે છે. આ સર્વ યેજના બહુ વિચારવા યોગ્ય છે. સદુધ ઘણ કુશળ મંત્રી છે, છતાં રાજાની આજ્ઞા લઈને જ આવે છે એ આજ્ઞાંકિતપણાને ઉમદા ગુણ બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy