SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ વિદ્યા સાથે લગ્ન અને આનંદ, ભગવાને મને જે ભાવના ભાવવાનું ખાસ બતાવ્યું હતું તે ભાવના ભાવતાં ભાવતાં એક વખત મને નિદ્રા આવી ગઈ સદધ અને જે વાસનામાં ઊંઘી ગયો હતો તે જ વાસના સાથે આગમન. મોડી રાતે જાગૃત થશે. તે વખતે વળી એ જ ભાવ નાઓ અત્યંત વધારે જોરા સાથે વૃદ્ધિ પામવા લાગી. તે વખતે મને એ ભાવના ભાવતાં ભાવતાં ઘણો પ્રમોદ થઈ આવ્યું, અત્યંત હર્ષ થઈ આવ્ય, ભાવના સાથે તદ્રુપતા થતી ચાલી અને એ પ્રમોદ શેને હશે? એમ હું વિચાર કરતો હતો ત્યાં તે વિસ્મયપૂર્વક મને જણાવ્યું કે મારી સામે સબોધમંત્રી હાજર થઈ ગયું છે. મેં ધારી ધારીને એની સામે જોયું. વળી તે વખતે આંખ વધારે ઉઘાડતાં વિ. સ્મિત નજરે તેની બાજુમાં વિદ્યા કુમારીને પણ જોઈ તે કુમારી આંખોને બહુ આનંદ આપે તેવી હતી, એનાં સર્વ અવય ઘણું સુંદર હતાં, એનું આખું શરીર ઘણું રમણુક હતું, ઘાટસર હતું, નમણું હતું, એને આસ્તિકતારૂપ સુંદર મુખડું હતું, એની આંખે ઉજજવળ અને નિર્મળ હતી, તવાવગમ અને સંવેગ નામના બે ગોળમટોળ સ્તને હતાં, પ્રશમ નામના મનહર નિતંબને એ ધારણ કરતી હતી, પૃહા ૧ નિદ્રા ઉંધ. આ નિદ્રા કેવા પ્રકારની હશે તે વિચારી લેવું. ૨ દશ કન્યાનો અને સદબોધ મંત્રીને પ્રસંગ ખાસ વિચારવા યોગ્ય છે, રાત્રે સુતાં કેવી ભાવના હોવી જોઈએ, એથી કેવા લાભ થાય, દશ કન્યા કેણ છે, સદધ કયારે આવે, ઉપદેશની જરૂર ને અને કયારે ન રહે તે સર્વ બહુ મનન કરી વિચારવા યોગ્ય છે. આ પ્રસંગ અદભુત છે. - ૩ વિદ્યાનું આખું શરીરવણન વિચારવા યોગ્ય છે. વિદ્યા એટલે જ્ઞાન સમજવું. એની શરીરની નમણાશ અને રમણીયતા અત્યંત આકર્ષક હોય તે બરાબર બંધ બેસે તેવું છે, એનું શરીર જોતાં જ આંખને આનંદ થવો જ જોઈએ કારણ કે વિદ્યાની શોભા અદ્દભુત જ હોવી જોઈએ, એના મુખ પર આસ્તિકતા છવાઈ રહી હતી, સજ્ઞાનમાં આસ્તિક્ય લક્ષણ જરૂર હોવું જ જોઈએ એટલે એ ભાવ સ્પષ્ટ થાય છે. એની છાતી પર તવાવગમ (તસ્વધ) એક બાજુએ અને બીજી બાજુએ સંગ (સંસાર ૫ર ઉદાસીનતા ) લખાયેલા હતા, ચોટેલા હતા. સત્ય જ્ઞાનમાં એકલું જ્ઞાન જાણવા માત્ર થતું નથી પણ એની સાથે જ વિકસર ઉદાસીન ભાવ આવે છે અને એની પછવાડે (background માં) અખલિત શાંત-પ્રશમ હોય છે. સમ્મુખમાં મુખમંડળ૫ર આસ્તિકતા, સામે છાતી પર તત્વબાધ અને સંવેગ અને પછવાડે પ્રશમ-આખું વર્ણન વિદ્યાને બરાબર ભd છે, શોભાવનારું છે, ઇછા કરાય તેવા સર્વ ગુણે તેનામાં છે અને ચિત્તનિર્વાણનું પ્રબળ કારણ એ (વિદ્યા) છે. આ આખું વર્ણન બરાબર વિચારવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy