SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ ] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૯૩૩ નિર્મળાચાર્ય—“ તારા સવાલ ઘણા મહત્વના છે. તેના ઉત્તર સાંભળ. ગુણુધારણ રાજા મારા ઉપદેશ પ્રમાણે વર્તન અને અનુષ્ઠાન કરશે, ગુણાનું અનુશીલન કરશે અને અનુષ્ઠાનેાનું આચરણ કરશે એટલે થાડા વખતમાં સાધમંત્રી વિદ્યાકન્યાને સાથે લઈને જાતે જ આ રાજા પાસે આવશે, અને પોતે જાતે જ એ વિદ્યાના લગ્ન આ રાજા સાથે કરી આપશે. પછી પોતે પણ રાજાની સમીપ જ રહેશે. એ સજ્ઞેધ મંત્રી અહુ કુશળ છે, ઘણા અનુભવી છે અને અવસરે અવ સરે શું કરવું એ ખાખત બહુ સારી રીતે સમજે છે. જ્યારે તે જાતે જ પાસે આવીને રહે ત્યાર પછી તેને ઉપદેશ દેવાની જરૂર પણ રહેતી નથી એટલે બધા એ ભરોસે મૂકવા લાયક ચાગ્ય વીર છે. જ્યારે એ રાજાની પાસે આવે ત્યાર પછી સર્વે મામતમાં એ જે સલાહ આપે તે રાજાએ કબૂલ રાખવી યોગ્ય છે. એટલે તમને બધે માર્ગ તે બતાવી દેશે, સુજાડી આપશે.” હું (ગુણધારણ —મહારાજ ઘણી કૃપા થઈ ! હુકમની રાહ જોઉ છું.” આમ કહી ભગવાનને વંદન કરી પેાતાના આખા પરિવાર સાથે હું (ગુણધારણરાજા–સંસારીજીવ) નગરમાં પાછો ફર્યો. હવે આપના Jain Education International પ્રકરણ ૮ મું. TWOOR ભીષણ આંતર યુદ્ધ-વિધા સાથે લગ્ન. નગરમાં આવ્યા ત્યારે મને મનમાં ઘણા આનંદ થતા હતા, અંત:કરણમાં હર્ષના ઉભરા આવતા હતા અને આખા શરીરમાં અને મગજમાં શાંતિ વ્યાપી ગઇ હતી. ત્યાર પછી તે જ દિવસથી ભગવાન્ શ્રીનિર્મળાચાર્યે આપેલ ઉપદેશ પ્રમાણે તેમણે બતાવેલા સદ્ગુણાના અમલ કરવા માંડ્યો અને ખાસ કરીને ભગવાનની સેવામાં દિવસે પસાર કરવા માંડ્યા. આવી રીતે કેટલાક દિવસેા વ્યતીત થયા. ૬૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy