SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ભાવલિંગની ઉમેદ્યવારી, દશ કન્યા સાથેના લગ્નસંબંધી ઉપાય ચિંતવન. સાધની સહાયકપણે જરૂર, કંદમુનિ--“સાહેબ ! ણુધારણૢ રાજાના મનમાં અત્યારે જે અભિલાષા છે તે કેટલે વખતે સિદ્ધ થશે ? ’’ નિર્મળાચાર્ય—“ આર્ય ! માત્ર છ માસમાં.” ચંદ્રમુનિને આચાર્યશ્રીએ આવા જવાબ આપ્યા એટલે હું (ગુણુધારણ-સંસારીજીવ ) બેલી ઉઠ્યો—“ નાથ! ઉતાવળ કરે. એ દીક્ષા લેવાને મારૂં મન ઘણું તલપાપડ થઇ ગયું છે. મને તેા હમણા જ દીક્ષા આપે. આપે છ માસની વાત કરી એ તે બહુ લાંખા વખત થઇ જાય, એટલા વખત મારે બેસી રહેવું નથી અને એટલી ઢીલ મારાથી ખમાય તેમ નથી. માટે હવે ઢીલ કરવાની શી જરૂર છે?” [ પ્રસ્તાવ ૮ નિર્મળાચાર્ય—“રાજન ! આ ખામતમાં ઉતાવળ કરવાની કાંઇ પણ જરૂર નથી. મેં જે અનુષ્કાના કરવાનેા અને સદ્ગુણા આચરવાને તને હમણા જ ઉપદેશ આપ્યા છે તે અનુષ્કાના અને આચરણા પરમાર્થથી તે। દીક્ષા જ છે. અરે ભાઇ ! દ્રવ્યક્લિંગ ( સાધુના વેશ ) તે। અગાઉ પણ અનેક વાર લીધેલ છે, પરંતુ અગાઉ મેં જે સદ્ગુણાની આચરણા જણાવી તે તેં અગાઉ યથાસ્થિત કરી નથી અને જ્યાં સુધી સદ્ગુણાનું પૂર્ણપણે આચરણ ન હોય ત્યાંસુધી માત્ર વ્યાર્લિંગ ધારણ કરવાથી ખાસ વિશેષ ગુણ થતા નથી, માટેા લાભ મળતા નથી, ધારેલી મુરાદ બર આવતી નથી. તને પણ એમ જ થયું છે. માટે તારે હવે જ્યારે તે જ વસ્તુ પ્રાપ્ત કરવી છે અને તે માટે તું તૈયાર થઇ ગયા છે તે મેં જે અનુશીલનીય ગુણાનું વર્ણન કર્યું છે તે સર્વના બરાબર અમલ કર. અત્યારે તે એટલું ખસ છે.” કેંદ્રમુનિ—“ સાહેબ ! કન્યાએ તેા દશ છે, તેા પછી એ દશને કયા અનુક્રમ પ્રમાણે પરણવી? પહેલી કોને પરણવી અને પછી કોને? એ પણ આપશ્રી જણાવવા કૃપા કરે.” Jain Education International ૧ દ્રવ્યલિંગ અનેક કર્યાં તે વાત વિચારવા યાગ્ય છે. દીક્ષા લેવામાં થતી ઉતાવળ જેમ ખેદાસ્પદ છે તેમ સંસારભાવના ઊંચા પછી સંસારમાં સમગ્રા કરવાને ઉપદેશ પણ અગ્રાહ્ય છે. આત્માત્થાન કરવા ભાવના થાય ત્યારે ઐહિક સંબંધ ખ્યાલમાં લાવવાના જ નથી અને વસ્તુતઃ તે સંબંધમાં કાંઇ દમ પણ નથી. અનુભવ અને અધિકારના આ વિષયેા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy