SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ બેઠેલ હોય ત્યાં બેઘડિ સુધી) બેસવું નહિ; (૪) એ સ્ત્રી ઓની ઈદ્રિ કે શરીરના કોઈ પણ ભાગ ઉપર ટીકી “ટીકીને જેવું નહિ; (૫) ભીંતને આંતરે આનંદકલ્લોલ કરતું “કઈ જોડલું રહેતું હોય તે તેની પડખેનાં મકાનમાં “વાસો કરે નહીં; (૬) અગાઉ પિતે આનંદ વિલાસ કર્યા હોય તેનું સ્મરણ કરવું નહિ; () જે ભજન કરવાથી ઇંદ્રિય વિષય તરફ ઢળે કે વિષય જાગ્રત થાય “ તેવા વૃત્તિને ઉશ્કેરનારા માદક કે ભારે આહારને “ત્યાગ કરવો; (૮) પ્રમાણથી અધિક આહાર ન કરે; “(૯) પોતાના શરીરની કઈ પણ પ્રકારની શોભા વિભૂષા કરવી નહિ; ઇંદ્રિયોના વિષય ભેગવવાની ઇચ્છા થાય તેને એકદમ દબાવી દેવી-આવા પ્રકારના “સદગુણોનું અનુશીલન કરનાર પ્રાણું બ્રહ્મરતિ કન્યાને “વરવા યુગ્ય થાય છે. “જે પ્રાણ “વિદ્યા કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છત હોય તેણે સૌથી પ્રથમ તે વિચારવું કે સર્વ પદગલિક પદાર્થો અનિત્ય છે, થેડો વખત રહેનારા છે, આખરે “નાશ પામનારા છે; તેવી જ રીતે સર્વ ધન પણ અ“નિત્ય છે, વિષ પણ અનિત્ય છે અને પિતાનું શરીર પણ અનિત્ય છે; પોતે વિચાર કરે કે એ વિષયે, દેહ વિગેરે વાસ્તવિક રીતે અશુચિથી (અપવિત્ર પદાર્થોથી) ભરેલા છે, એમાં આખરે દુઃખ જ છે અને “એનો છેડો દુઃખમાં જ આવે છે-એવી વિચારણું પર સ્થિરતા કરે; પિતાનો આત્મા પોતે જાતે એ સર્વ “પદાર્થો-ભોગે અને શરીરથી તદ્દન અલગ છે એ સ્વ“ભાવ પર ખાસ વિચારણું કરે, અનેક પ્રકારના સાચા ( ૧ બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છાવાળાને તે વ્રતરૂપ ઉગતા ધાન્યના રક્ષણ સારતે ખેતરના રક્ષણ સારૂં નવ વાડ બતાવી છે. અહીં બહારતિને અંગે વાતની હકીકત બતાવી છે. નવ વાડનું સ્વરૂપ પ્રસ્તાવ ત્રીજમાં પૃ. ૫૦૪ ની નોટમાં લખ્યું છે તે જુઓ. તેઓના પારિભાષિક નામે અનુક્રમે નીચે પ્રમાણે છે: (૧) વસતિ. (૨) કથા. (૩) નિષિદ્યા. (૪) ઈદ્રિયનિરીક્ષણ. (૫) કુટયંતર (૬) પૂર્વકેલિ. (૭) પ્રણિતાહાર, (૮) અતિમાત્રાહાર. (૯) વિભૂષા. ૨ વિદ્યાઃ એ સાધની કન્યા છે, અજ્ઞાનને દૂર કરનાર છે, સાતમાં પ્રસ્તાવનું પાત્ર છે. એને સમ્યગ્રદર્શન અને ચારિત્રરાજ ઉત્પન્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy