SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ૧૯૨૧ ભગવાનનાં આવાં વચન સાંભળીને મને મનમાં અત્યંત આશ્ચર્ય થયું કે ભગવાન પોતે વળી આ શી વાત કરે છે? એટલે કંદમુનિએ પાછો સવાલ ઉઠાવ્યો. કંદમુનિ–“મહારાજ ! એ કન્યા જે આ ગુણધારણે પરણવી જોઈએ એમ આપશ્રીએ હમણે જણાવ્યું તે કઈ કન્યાઓ છે? આપ તેઓની ઓળખાણ કરાવો.” . નિર્મળાચાર્ય–“ જ્યારે આ ઘણે જાને વૃત્તાંત મેં તને અગાઉ સંભળાવ્યો હતો તે વખતે જે દશ કન્યાઓ જણુંવી હતી તે જ દશ કન્યાઓ સાથે લગ્ન કરવાના છે, બીજી કેઈ નહીં.” કંદમુનિ–“સાહેબ! હું તે તે વાત ભૂલી ગયો છું તેથી મારા પર કૃપા કરીને એ કન્યા કેની સંબંધવાળી છે? (કેના સગપણમાં છે?) તેઓનાં નામે કયાં ક્યાં છે? અને અત્યારે તેઓ ક્યાં રહે છે? એ સર્વ હકીકત વિગતવાર સમજા.” નિર્મળાચાર્ય–“સાંભળ દશકન્યાઓ, ચિત્તસૌંદર્ય નામનું નગર છે. તેને શુભ પરિણામ નામને રાજા છે. તેની નિષ્પપતા અને ચારૂતા નામની બે રાણી છે. તેમની અનુક્રમે સારા અને ત્યાં નામની બે કન્યાઓ છે. “ તથા એક શુભ્રમાનસ નામનું નગર છે. તેને શુભાભિસબ્ધિ નામને રાજા છે. તેની વરતા અને વર્તતા નામની બે રાણીઓ છે. તેમની અનુક્રમે હૃદુતા અને સત્યતા નામની બે કન્યાઓ છે. વળી એક વિશદમાનસ નામનું નગર છે. તેને શુદ્ધાભિસધિ નામને રાજા છે. તેની શુદ્ધતા અને પાપભીરુતા નામની બે રાણીઓ છે. તેમની અનુક્રમે જુતા અને અગ્રતા નામની બે કન્યાઓ છે. “તેમ જ શુભ્રચિત્તપુર નામનું એક નગર છે. સદાશય નામનો તે નગરનો રાજા છે. તેની વરેણ્યતા નામની પત્ની છે. એ રાણીને બે કન્યાઓ છે. એકનું નામ ગ્રહ્મતિ અને બીજીનું નામ મુnતા છે. વળી પિલા સમ્યગદર્શન સેનાપતિએ પિતાના વીર્યથી એક માનવી વિદ્યા નામની કન્યા ઉત્પન્ન કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy