SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ૧૯૧૯ “હવે સાહેબ! એક બીજી વાત પૂછી લઉ આપે હમણુ વાત કરી ત્યારે અણુવ્યું કે મને થોડું થોડું સુખ પુણ્યદયે ઉત્પન્ન કરી આપ્યું છે, મને એણે સુખલેશ કરી આપેલ છે-આપના આ વચનથી મારા મનમાં જરા કુતૂહલ થયું છે, મારી જિજ્ઞાસામાં ઉમેરો થયો છે. મને એવો ખ્યાલ થાય છે કે જે દિવસે મને મદનમંજરી મળી, જ્યારે મને અમૂલ્ય કિમતનાં બહુ ર પ્રાપ્ત થયાં (મદનાના પિતા કનકેદર પાસેથી), જરા ચિંતવન કરતાં જ ખેચરે ( વિદ્યાધરે)ની મેટી ખૂનાખરાબી બંધ થઈ, તે સર્વને પરસ્પર ભાઈચારે થઈ આવ્ય, વધારામાં વળી તેઓ સર્વેએ મારું દાસપણું સ્વીકાર્યું, મારા માતાપિતાને પૂર્ણ સંતોષ થઈ ગયે, હે મહોત્સવ થઈ રહ્યો, અમારા સર્વ નગરવાસીઓને પણ ઘણે આનંદ થયે, વિદ્યારે સર્વે અમારે ઘરે આવ્યા, મારા માતાપિતાએ તેઓનું યોગ્ય આતિથ્યપૂર્વક સન્માન કર્યું, તે સર્વેએ મારાં ઘણું વખાણ કર્યા, મારા યશનો કે દેશમાં સર્વત્ર વાગી રહ્યો, તે વખત–તે દિવસ સુખથી ભરપૂર હોવાને લીધે મને તે અમૃત જેવો લાગતો હતો. ત્યાર પછી વળી મદનમંજરીની સાથે મારે પ્રેમબંધ વધારે મજબૂત થતો ચાલ્યા, ત્યાર પછી વળી કંદમુનિના દર્શન થયા, ત્યાર પછી રાજા સાત અને સદાગમ સમ્યગ્દર્શન અને ગૃહિધર્મ સાથે મારે મિત્રતા થઈ, ત્યાર પછી વળી મને રાજ્યની પણ પ્રાપ્તિ થઈ અને મારી ઈચ્છામાં આવે તેટલાં અને તેવાં સુખોમાં હું વિકાસ કરવા લાગ્યો ત્યારે તો મને દેવલોકના સુખની પણ અવગણના થવા લાગી, મને એમ થયું કે આવું સુખ તે દેવલોકમાં પણ હશે જ નહિ. વળી ત્યાર પછી હાલમાં આપ મહાત્માશ્રીનાં દર્શન થયાં વિનયપૂર્વક આપશ્રીને વંદના કરી, આપને પૂછેલ સંદેહ બરાબર દૂર થઈ ગયો અને આપશ્રીનાં મુખકમળને જોતાં અને આપકપાળનાં વચનામૃત સાંભળતાં મને એ આનંદ થાય છે, મારા મનમાં એટલું સુખ થાય છે કે વાણુમાં તેનું વર્ણન કરવું પડ્યું અશક્ય છે–આટલી બધી હકીકત હોવા છતાં આપશ્રીએ એમ કેમ કહ્યું કે મને જરા જરા સુખ થયું છે? મને સુખલેશ થયો છે? અને ૧ સુખલેશ. જુઓ પૃ. ૧૯૧૫ આગલું પ્રકરણ ૨ ચાલુ પ્રસ્તાવ. પ્રકરણ ૩ જી. ૩ ચાલુ પ્રસ્તાવ. પ્રકરણ ૪ થું. ૪ ચાલુ પ્રસ્તાવ. પ્રકરણ ૫ મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy