SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૯૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ તેથી તે બીજાં બીજાં સાધના નિમિત્તો અને પ્રાણીઓ દ્વારા પેાતાના જોરથી તને સુખ આપે છે. રાજા ગુણધારણ ! એમાં ખાદ્ય વસ્તુ તે નિમિત્તમાત્ર છે. ખરેખરૂં પરમ કારણ તેા એ પુણ્યોદય જ છે.” કારણાની વિચારણાની સ્પષ્ટ અવધારણા. સુખલેશ અને સંપૂર્ણ મુખસ્થાન, પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરવા સંબંધી પ્રશ્ન, ગુણધારણ— મહારાજ! આપે વિસ્તારથી જે જવાબ આપ્યા તેથી મારા મનમાં જે સંદેહ થયા હતા તે તદ્દન દૂર થઇ ગયા છે. આપે જે હકીકત કહી તેનું રહસ્ય હું આ પ્રમાણે સમજ્યો છુંઃ જ્યારે નિવૃતિનગરીના નાથ પરમેશ્વર શ્રીમુસ્થિતમહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરૂં, અજ્ઞાનતાથી તેની પૂરી કિંમત ખરાબર સમજી નહિ, તેના પરિણામે મારી ચિત્તવૃત્તિને ભાવઅંધકારથી મેલી બનાવી દઉં અને જ્યારે મહામેાહુ વિગેરે શત્રુઓનાં લશ્કરનું પાષણ કરૂં ત્યારે મારૂં તેવા પ્રકારનું રૂપ જોઇને કર્મપરિણામ કાળપરિણતિ સ્વભાવ ભવિતવ્યતા વિગેરે મારે પ્રતિકૂળ થાય છે અને તે વખતે કર્મપરિણામરાજાને પાપેાયસેનાપતિ પેાતાની સાથે મારાથી વિપરિતપણે વર્તનારી આખી લશ્કરની ટૂકડીને લઇ આવીને મને અનેક પ્રકારનાં દુ:ખા શ્રેણીબંધ ઉત્પન્ન કરે છે અને તેમ કરવા માટે અનેક અંદરની તેમ જ બહારની વસ્તુઓને પ્રેરણા કરે છે અને તે દ્વારા મને દુ:ખા નીપજાવે છે; અને જ્યારે હું મારી ચાગ્યતાના ખરો ખ્યાલ કરીને અને તે જ સુસ્થિતમહારાજની કૃપાથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને તેની આજ્ઞામાં રહું, તેઓના હુકમ પ્રમાણે વસ્તુ, જ્યારે ભાવઅંધકારને ધોઇ નાખીને ચિત્તવૃત્તિને વધારે નિમૂળ મનાવું, અને ચારિત્રધર્મરાજના લશ્કરને પ્રસન્ન કરૂં, ત્યારે કર્મપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, ભવિતવ્યતા વિગેરે મારૂં વર્તન જોઇને અનુકૂળપણે વર્તે છે, તે વખતે કર્મપરિણામ રાજાના બીજા સેનાપતિ પુષ્ચાય તેની સાથે આવેલ અનુકૂળ સૈન્યવડે મને માટું સુખ આપે છે અને તે માટે માહ્ય તેમ જ આધ્યાત્મિક અંદરની વસ્તુઓને સાધન તરીકે સુખ આપવાની પ્રેરણા કરે છે અને તે દ્વારા સુખ નીપજાવે છે; તેટલા માટે એ સર્વના (કારણેાના) સ સહુ કાર્યને ઉત્પન્ન કરનાર છે, એમાંના એક કાંઇ પણ કાર્ય - પજાવી શકતા નથી-આ પ્રમાણે આપના કહેવાના ભાવાર્થે હું સમજયો છું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy