SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬] કાર્યસાધક કારણસમાજ. ૧૯૧૫ કરે છે તેટલે અંશે તે પ્રાણી દુઃખી થાય છે અને તેવી જ રીતે જેટલે અંશે એ આજ્ઞાનું પાલન કરવામાં આવે છે તેટલે અંશે પ્રાણીને સુખ થાય છે. આ પ્રમાણે હકીકત હોવાથી એ આજ્ઞાનું ઉલ્લંઘનથી દુઃખ થાય છે અને એ આજ્ઞા પ્રમાણે આચરણ કરવાથી સુખ થાય છે “અને તે વાત સર્વ પ્રાણીઓના સંબંધમાં બન્યા જ કરે છે અને વળી “વાત એટલે સુધી ચોક્કસ છે કે આ ત્રણ ભુવનમાં એવી એક પણ “સારી કે ખરાબ બાબત નથી, એક અંશ માત્ર પણ સારો કે માઠે “બનાવ નથી કે જે સદરહુ આજ્ઞાની અપેક્ષા રાખ્યા વગર બની “ શકતે હોય; આ દુનિયાની સર્વ ક્રિયા, પ્રાણીનાં સર્વ વર્તનનાં પરિ ણામ, માનસિક વાચિક કાયિક પ્રવૃત્તિ વિગેરે સર્વ ઘટના એ સિદ્ધાણાના “અપ્રતિહત નિયમાનુસાર બની આવે છે–આ પ્રમાણે હકીકત હોવાથી એ મહારાજા (પરમાત્મા), રાગદ્વેષરહિત હોવા છતાં અને એટલે “બધે દૂર આવી રહેલી નિવૃતિ નગરીમાં રહેતા હોવા છતાં સર્વ “ કાયનાં પરમ કારણ છે એમ જાણવું. ગુણધારણુ રાજા! તારાં સુંદર અને ખરાબ કાર્યોના પરમ હેતુ એ જ મહાપુરૂષ છે એમ તારે ચોક્કસ સમજવું અને એ બાબતમાં “ જરા પણ સંશય જેવું નથી. અગાઉ તે એ મહાસત્ત્વશાળી પરમા ત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું તેથી તેને અનેક પ્રકારનાં દુઃખો થયાં હતાં, ત્યાર પછી કાંઈ કાંઈ તે આજ્ઞાનું તું પાલન કરવા લાગે “તેથી તેને ડું થોડું સુખ થતું જાય છે. જ્યારે એ મહાત્માની આજ્ઞાને પૂરેપૂરી પાળીશ તે વખતે ખરેખરા સુખસમૂહને રસ “કેવો છે તેને તેને બરાબર ખ્યાલ આવશે. તેટલા માટે તારાં સર્વ “કાર્યોમાં ઉપર જણાવેલાં કારણો પૈકી કઈ પ્રધાનપણે અને કઈ ગૌણપણે કામ કરી રહ્યાં છે, એ સર્વને તારે તારાં કાર્યોનાં કારણ “તરીકે બરાબર ઓળખી લેવાં જોઈએ. રાજન્ ! એ કારણોમાંનું “એક પણ કારણ ગેરહાજર હોય તે તારા કાર્યની સિદ્ધિ ન થાય એમ તું જાણજે. ટૂંકમાં વાત એટલી છે કે આ પ્રકરણમાં જણુંવેલ સર્વ હતુઓને હેતસમાજ તરીકે ઓળખવા અને એ આખો હેતુસમાજ કાર્યસાધક છે એમ તારે લક્ષ્યમાં રાખવું.” ગુણધારણ–“સાહેબ! કાર્યને અંગે જેટલાં કારણો હોય છે તે “સર્વ આપે જણાવી દીધાં કે હજુ તેમાં કઈ બાકી રહેલ છે?” ૧ સુખલેશઃ શબ્દ અહીં વાપર્યો છે. એના ઉપર આવતા પ્રકરણમાં એક સવાલ આવશે તેથી તે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય શબ્દ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy