SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પરંપરા-સુંદર અથવા અસુંદર એ મહાત્મા કરે છે તે કેવી રીતે થાય છે એ હકીકત હવે તને સ્પષ્ટ અક્ષરોમાં કહી સંભળાવું છું તે માન રાખી સમજ, “ એ સિદ્ધ ભગવાને સર્વ લેકેના નિયમન સારૂં ન ફેરવી શકાય તેવી સુંદર આશા આપેલી છે, જાહેર હુકમ ફરમાવેલ છે, ત્રીકાલસ્પષ્ટ નિશ્ચળ આખે આપેલી છે અને તે આખી આજ્ઞા લેકને પાળવા બોગ્ય છે. તે આજ્ઞા નીચે પ્રમાણે છે – તમારે તમારી ચિત્તવૃત્તિને તદ્દન અંધકાર વગરની કરવી છે અને અંદર પ્રકાશવાળા તેજ મુક્ત કરવી અને ગાયના “ દૂધ, મેંતીની માળ, પ્રભાતની ઝાકળનાં બિંદુ, ડાલ રનાં ફૂલ અથવા ચંદ્ર જેવી શુદ્ધ ચોખી કરવી. મહામોહ રાજા અને તેનું લશ્કર ભયંકર સંસારનું કારણ હેવાથી તેને હમેશા તમારે શત્રુ તરીકે ઓળખવાં અને પ્રત્યેક ક્ષણે તેને હણવાનો પ્રયત્ન કર્યા કરવો, “ચારિત્રધર્મરાજા અને તેનું લશ્કર મહા કલ્યાણનું કારણ હાઈને એને પિતાના સગા ભાઈ જેવું ગણવું અને હમેશા તેને પણ આપ્યા કરવું.” “સર્વ લેકોના સંબંધમાં આ પ્રમાણે સિદ્ધ આજ્ઞા છે, એ મહા“રાજાની આજ્ઞા છે, વિધાતાને હિત કરનારે હુકમ છે. આ ત્રણ કાળ “સિદ્ધ આજ્ઞા હોવાથી રાજસેવકની ફરજ છે કે પૂજન વડે, ધ્યાન વડે, સ્તવન વડે અને વ્રતઆચરણ વડે એ આજ્ઞાઓનું પાલન અને તેને “અમલ કરવો. આ બાબતની મહત્તા બરાબર સમજી તે આજ્ઞા ઉઠાવવાનું કામ સેવકે એ બરાબર કરવું જ જોઈએ. “જે આચરણનો નિષેધ કરવામાં આવ્યું છે તે કરવાથી એ આ જ્ઞાઓનો ભગ થાય છે, આજ્ઞાની વિરાધના થાય છે. એ મહારાજાના બાર અંગોમાં ઘણું ઘણી વાતો કરી છે તે સર્વને સાર ઉપર જણ. “વેલી આજ્ઞામાં આવી જાય છે. ઉપર જણાવેલી આજ્ઞાને જે પ્રાણી જેટલે અંશે અનુસરે છે તેટલે અંશે, પછી તે આજ્ઞા કરનારને કે “આજ્ઞાને ઓળખતા હોય કે ન હોય તે પણ, સુખ મેળવી શકે છે “એવું એ આજ્ઞાનું માહામ્ય છે. જે કઈ પ્રાણી એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને તેથી ઉલટી રીતે વર્તન કરે છે તે આજ્ઞાનું સ્વરૂપ ન જાણતો હોય તો પણ દુઃખી થાય છે, દુઃખ સહન કરે છે, હેરાન થાય છે. મેહને લઈને જે પ્રાણી જેટલે અંશે એ આજ્ઞાનું ઉલ્લંઘન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy