SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૯ સંબંધીઓ પણ તને છેડી ગયા અને તને મહા દુ:ખપરંપરા પ્રાપ્ત થઇ. આવી રીતે અનેક વાર તને સુખ મળ્યું અને ગયું, અનેક વાર દુ:ખ થયું અને વિસરાળ થયું. સુંદર અસુંદર વસ્તુના આવી રીતે અનેકવાર વિરહ અને મેળાપ તેમણે કરાવ્યા. “રાજન ! તને આ રાજ્યમંદિરમાં (સપ્રમેાદનગરે મધુવારણુ રાજાને ઘરે ) લાવવામાં આવ્યા તે પહેલાં આવી રીતે અનેક પ્રસંગે તને સુંદર અસુંદરના વિરહ અને મેળાપ થઇ ગયા છે. હવે એ ચારે મહાપુરૂષોના હુકમથી અત્યારે પાાદય તારાથી ઘણે! દૂર થઇ ગયો છે, પણ આખા સૈન્ય સાથે દુર પડાવ નાખીને ચૂપ ચાપ બેસી રહ્યો છે. અત્યારે એ કર્મપરિણામ વિગેરે ચારે મહાપુરૂષોએ સાત રાજાને અને પુણ્યોદય વિગેરેને તારી નજીક કર્યાં છે અને તે ભાગ્યશાળીએ ( પુણ્યોદય અને શાતા) તારા ઉપર પેાતાની સારી અસર નીપજાવે છે. પાપાદય ઉપર એમના ( કર્મપરિણામાદિના ) ખાસ ચાલુ પ્રેમ નથી અને તેથી જ હાલ પુછ્યાય તને જાગૃત થયા છે. એ પુણ્યાયે તને ઘણી સુખપરંપરા કરી આપી છે અને તેમાં ખાસ લાલુપતા વગરની શાંત સુંદર માનસિક સ્થિતિ તને પ્રાપ્ત કરાવી આપી છે. 66 પાપે દ ય વધારે દૂર. ટુંકામાં કહીએ તો તારાં સર્વ સુંદર અને ખરાબ કામેામાં એ ચારે મહાપુરૂષા ( કર્મપરિણામ, કાળપરિણતિ, ભવિતવ્યતા અને સ્વભાવ ) જે સ્વપ્રમાં જોવામાં આવ્યાં હતાં તેના જ હાથ હાય છે અને તેથી જ સર્વ કાર્યો અની આવે છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી. જ્યારે એ મહાપુરૂષા તારાથી પ્રતિકૂળ હોય છે ત્યારે તે પાપાદયને આગળ કરીને તને અનેક પ્રકારનાં દુઃખા, અનેક પ્રકારના ત્રાસા, અનેક પ્રકારની હેરાનગતિ કરે છે અને જ્યારે તે તારી સાથે અનુકૂળ હોય છે ત્યારે પુણ્યદયને આગળ કરીને જૂદાં જૂદાં કારણેા દ્વારા અનેક ન્હાનાં નીચે તને અનેક પ્રકારનાં સુખા કરી આપે છે, તરેહ તરેહ વારની સગવડો કરી આપે છે અને ભાત ભાતના આનંદ ઉપજાવી આપે છે. એટલા માટે અત્યાર સુધીમાં તને સારૂં અથવા ખરાબ-શુભ યા અશુભ-સુંદર યા અસુંદર પ્રાપ્ત થયું છે અને હવે પછી થવાનું છે તે સર્વનાં કારણ એ ચારે મહાપુરૂષા છે. ચારે પુરૂષાની શક્તિ કેટલી છે અને તેનું સ્થાન તારે અંગે ( સંસારીજીવને અંગે) શું છે તે હવે તારા સમજવામાં આવ્યું હશે, પુણ્યોદય પાાદયનું રહસ્ય પણ તારા ખ્યાલમાં આવ્યું હશે અને સદાગમ તથા સમ્યગ્દર્શનના ઉપયોગ પણ તારા સમજવામાં આવ્યા હશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy